મણિપુરમાં જાતીય હિંસાની તપાસ માટે CBIએ 6 લોકો સામે નોંધી ફરિયાદ, અત્યાર સુધીમાં 3700થી વધુ કેસ નોંધાયા


  • Published By :
  • Published Date : 2023-06-09 22:06:21

મણિપુરમાં 3 મેથી  ફાટી નિકળેલી જાતીય હિંસા મામલે CBIએ 6 લોકો સામે ફરિયાદ નોંધી છે. CBIએ રાજ્યમાં કથિત હિંસા માટે આ 6 લોકોને માસ્ટર માઈન્ડ ગણાવ્યા છે. મણિપુરમાં કુકી અને મેતઈ સમુદાયોએ 80થી વધુ લોકોના જીવ લીધા છે અને 35,000થી વધુ લોકોને વિસ્થાપિત થવાની ફરજ પડી છે. મણિપુરમાં હિસા શરૂ થયા બાદથી રાજ્યમાં 3700થી વધુ કેસ નોંધાયા છે. 


વિસ્થાપિતોની સહાય માટે રૂ.101.75ના રાહત પેકેજને મંજૂરી


જાતીય હિંસા મામલે મણિપુરના ઈમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જે બાદ કાંગપોકપી અને વિષ્ણુપુરમાં કેસ નોંધાયા છે. ત્યારે CBI એ પણ તપાસ કરી રહી છે કે શું આ જાતિય હિંસા પૂર્વ આયોજિત હતી. મણિપુર સરકારના સુરક્ષા સલાહકાર કુલદીપ સિંહે સંકેત આપ્યો કે મણિપુરમાં સ્થિતિ શાંતિપૂર્ણ નિયંત્રણમાં છે. છેલ્લા 48 કલાકમાં હિંસાની કોઈ ઘટના ઘટી નથી. તેમણે એવી પણ જાહેરાત કરી કે ગૃહ મંત્રાલયે મણિપુરમાં વિસ્થાપિત લોકોની સહાયતા માટે 101.75 કરોડ રુપિયાના રાહત પેકેજને મંજૂરી આપી દીધી છે.


મેતઈ અનામતની માગના કારણે થઈ હિંસા


મણિપુરમાં 3 મેથી શરૂ થયેલી હિંસા હજુ પણ યથાવત છે. રાજધાની ઈમ્ફાલ નજીક સેરી અને સુગનૂ વિસ્તારમાં રવિવારે હિંસક અથડામણ થઈ હતી, જેમાં એક પોલીસકર્મી સહિત 5 લોકોના મોત થયા હતા જ્યારે 12 ઘાયલ થયા છે. રાજ્યમાં હિંસાને કારણે અત્યાર સુધીમાં 80 લોકોના જીવ ગયા છે. મણિપુરમાં હાલની હિંસાને કારણે મેતઈ અનામતને માનવામાં આવે છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.