મણિપુર હિંસા: ગુવાહાટી હાઈકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોના તપાસ પંચની કરાઈ રચના


  • Published By :
  • Published Date : 2023-06-04 20:08:02

કેન્દ્ર સરકારે મણિપુરમાં વંશીય હિંસાની તપાસ માટે ત્રણ સભ્યોના કમિશનની રચના કરી છે, આ તપાસ પંચમાં મે મહિનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 80 થી વધુ લોકોના મોત થયા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ગયા અઠવાડિયે થયેલી મણિપુરની મુલાકાત પછી તરત જ આ પગલું લેવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે, 3 મે 2023ના રોજ મણિપુર રાજ્યમાં મોટા પાયે હિંસા ફાટી નીકળી હતી અને હિંસાના પરિણામે રાજ્યના કેટલાય લોકોએ જીવ ગુમાવ્યો હતો તથા અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આગજનીના કારણે લોકોમા મકાનો અને મિલકતો બળીને ખાખ થઈ ગઈ હતી અને તેમાંથી ઘણા લોકો બેઘર બન્યા છે.


ગૃહ મંત્રાલયે બનાવ્યું 3 સભ્યોનું તપાસ પંચ


ગૃહ મંત્રાલયના નોટિફિકેશનમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, મણિપુર સરકારે કમિશન ઑફ ઈન્ક્વાયરી એક્ટ, 1952ની જોગવાઈઓ હેઠળ 29 મે, 2023ના રોજ કમિશન ઑફ ઈન્ક્વાયરી માટે ભલામણ કરી હતી, જેમાં અને 3 મે, 2023  અને તેના ત્યાર બાદની કમનસીબ ઘટનાઓના કારણો અને સંબંધિત પરિબળોની તપાસ કરવામાં આવે. મણિપુર સરકારની ભલામણ પર તપાસો કેન્દ્ર સરકારનો એવો અભિપ્રાય છે કે જાહેર હિત માટે મણિપુરમાં હિંસાની ઘટનાઓની તપાસ કરવા માટે તપાસ પંચની નિમણૂક કરવી જરૂરી છે.

 

આ 3 સભ્યોનું પંચ કરશે તપાસ 


કેન્દ્રીય ગૃહ મંત્રાલયએ ત્રણ સભ્યોના તપાસ પંચમાં ગુવાહાટી હાઈકોર્ટના નિવૃત જજ અજય લાંબા, 1982 બેચના આઈએએસ અધિકારી હિંમાશુ શેખર દાસ અને 1986 બેચના આઈપીએસ અધિકારી આલોક પ્રભાકરની નિમણૂક કરવામાં આવી છે.

 


આયોગ નીચેની બાબતોની તપાસ કરશે


1- મણિપુર રાજ્યમાં 3 મે 2023ના રોજ અને તે પછી વિવિધ સમુદાયોના સભ્યોને નિશાન બનાવતી હિંસા અને રમખાણોના કારણો અને ફેલાવો.


2- હિંસા સંબંધિત તમામ ઘટનાઓ અને તમામ હકીકતોમાં સમાનતા


3- કોઈ જવાબદાર અધિકારી/વ્યક્તિ તરફથી આ બાબતે ફરજમાં કોઈ ચૂક કે બેદરકારી હતી કે કેમ.


4-હિંસા રોકવા અને તેનો સામનો કરવા માટે લેવામાં આવેલા વહીવટી પગલાં પુરતા હતા કે કેમ


5-એવી ઘટનાઓ પર વિચાર કરવો જે તપાસ દરમિયાન પ્રાસંગિક જણાઈ શકી છે.



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.