મણિપુર હિંસા: ગુવાહાટી હાઈકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોના તપાસ પંચની કરાઈ રચના


  • Published By :
  • Published Date : 2023-06-04 20:08:02

કેન્દ્ર સરકારે મણિપુરમાં વંશીય હિંસાની તપાસ માટે ત્રણ સભ્યોના કમિશનની રચના કરી છે, આ તપાસ પંચમાં મે મહિનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 80 થી વધુ લોકોના મોત થયા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ગયા અઠવાડિયે થયેલી મણિપુરની મુલાકાત પછી તરત જ આ પગલું લેવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે, 3 મે 2023ના રોજ મણિપુર રાજ્યમાં મોટા પાયે હિંસા ફાટી નીકળી હતી અને હિંસાના પરિણામે રાજ્યના કેટલાય લોકોએ જીવ ગુમાવ્યો હતો તથા અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આગજનીના કારણે લોકોમા મકાનો અને મિલકતો બળીને ખાખ થઈ ગઈ હતી અને તેમાંથી ઘણા લોકો બેઘર બન્યા છે.


ગૃહ મંત્રાલયે બનાવ્યું 3 સભ્યોનું તપાસ પંચ


ગૃહ મંત્રાલયના નોટિફિકેશનમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, મણિપુર સરકારે કમિશન ઑફ ઈન્ક્વાયરી એક્ટ, 1952ની જોગવાઈઓ હેઠળ 29 મે, 2023ના રોજ કમિશન ઑફ ઈન્ક્વાયરી માટે ભલામણ કરી હતી, જેમાં અને 3 મે, 2023  અને તેના ત્યાર બાદની કમનસીબ ઘટનાઓના કારણો અને સંબંધિત પરિબળોની તપાસ કરવામાં આવે. મણિપુર સરકારની ભલામણ પર તપાસો કેન્દ્ર સરકારનો એવો અભિપ્રાય છે કે જાહેર હિત માટે મણિપુરમાં હિંસાની ઘટનાઓની તપાસ કરવા માટે તપાસ પંચની નિમણૂક કરવી જરૂરી છે.

 

આ 3 સભ્યોનું પંચ કરશે તપાસ 


કેન્દ્રીય ગૃહ મંત્રાલયએ ત્રણ સભ્યોના તપાસ પંચમાં ગુવાહાટી હાઈકોર્ટના નિવૃત જજ અજય લાંબા, 1982 બેચના આઈએએસ અધિકારી હિંમાશુ શેખર દાસ અને 1986 બેચના આઈપીએસ અધિકારી આલોક પ્રભાકરની નિમણૂક કરવામાં આવી છે.

 


આયોગ નીચેની બાબતોની તપાસ કરશે


1- મણિપુર રાજ્યમાં 3 મે 2023ના રોજ અને તે પછી વિવિધ સમુદાયોના સભ્યોને નિશાન બનાવતી હિંસા અને રમખાણોના કારણો અને ફેલાવો.


2- હિંસા સંબંધિત તમામ ઘટનાઓ અને તમામ હકીકતોમાં સમાનતા


3- કોઈ જવાબદાર અધિકારી/વ્યક્તિ તરફથી આ બાબતે ફરજમાં કોઈ ચૂક કે બેદરકારી હતી કે કેમ.


4-હિંસા રોકવા અને તેનો સામનો કરવા માટે લેવામાં આવેલા વહીવટી પગલાં પુરતા હતા કે કેમ


5-એવી ઘટનાઓ પર વિચાર કરવો જે તપાસ દરમિયાન પ્રાસંગિક જણાઈ શકી છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!