મણિપુરમાં પરિસ્થિતી બેકાબુ, તોફાની તત્વોને ઝેર કરવા સરકારે આપ્યો શૂટ એટ સાઈટનો આદેશ


  • Published By :
  • Published Date : 2023-05-04 21:05:43

મણિપુરમાં હિંસા ફાટી નીકળવાના કારણે પરિસ્થિતી બેકાબુ બની છે, આ કારણે સરકારે તોફાનીઓને ગોળી મારવાના આદેશ આપ્યા છે. રાજ્ય સરકારે ગુરુવારે મે 4, 2023ના રોજ પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે,  "ગંભીર પરિસ્થિતિ" માં ગોળી મારવાનો આદેશ જારી કર્યો છે. 


રાજ્યપાલે કર્યો આદેશ


મણિપુરના રાજ્યપાલ દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું હતું કે જો ચેતવણીઓ અને સમજાવટ છતાં પરિસ્થિતિ કાબૂમાં નહીં આવે તો ‘શૂટ એટ સાઈટ’ એક્શન લેવામાં આવી શકે છે. રાજ્ય સરકારના કમિશનર (ગૃહ) દ્વારા હસ્તાક્ષર કરાયેલ જાહેરનામું, ફોજદારી કાર્યવાહી સંહિતા, 1973 ની જોગવાઈઓ હેઠળ જારી કરવામાં આવ્યું છે.


મીતેઈ સમુદાય માગી રહ્યો છે અનામત


મણિપુરમાં બિન-આદિવાસી મીતેઈ સમુદાય માટે અનુસૂચિત જનજાતિ (એસટી)નો દરજ્જો આપવાની માંગ સામે ચૂરાચંદપુર જિલ્લાના ટોરબાંગ વિસ્તારમાં ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયન મણિપુર (એટીએસયુએમ) દ્વારા વિરોધ પ્રદર્શનનું આહ્વાન કરવામાં આવ્યું હતું. 'આદિવાસી એકતા માર્ચ' દરમિયાન બુધવારે હિંસા ફાટી નીકળી હતી. મણિપુર હાઈકોર્ટે ગયા મહિને રાજ્ય સરકારને મેઈતેઈ સમુદાય દ્વારા ST દરજ્જાની માગણી પર ચાર અઠવાડિયાની અંદર કેન્દ્રને ભલામણ મોકલવા કહ્યું તે પછી આ કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે મીતેઈ સમુદાય મણિપુરની કુલ વસ્તીના 53 ટકા છે.



દાહોદની ઘટનામાંથી કે સુરેન્દ્રનગરમાં બાળકી પર દુષ્કર્મની ઘટનામાંથી આપણે બહાર નથી આવ્યા ત્યાં ફરી એકવાર વડોદરામાં આ પ્રકારની ઘટના બની છે... વિકૃત માનસિકતા ધરાવનાર અપરાધીઓ નાની બાળકીઓને પણ નથી છોડતા... ગરબા રમવા ગયેલી સગીરા પર દુષ્કર્મ થયું હોય તેવી માહિતી સામે આવી છે.

થોડા દિવસ પહેલા તુરખેડાથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં મહિલાને ઝોળી કરીને લઈ જવા લોકો મજબૂર બન્યા હતા... રસ્તાના અભાવે બાળકે પોતાની માતાને ગુમાવી છે.. આ ઘટનાની નોંધ હાઈકોર્ટે લીધી છે અને સુઓમોટો દાખલ કરી છે.. સરકારને તીખા સવાલો કર્યા છે અને જવાબ આપવા માટે કહ્યું છે....

નવરાત્રીના બીજા નોરતે માતા દુર્ગાના બીજા સ્વરૂપની એવા માતા બ્રહ્મચારીણીની આરાધના કરવામાં આવે છે. માતાજી શ્વેત વસ્ત્રો ધારણ કરનારા દેવી છે... બ્રહ્મચારિણી માતા ભક્તોને મનોવાંચ્છિત ફળ આપનારા છે.

સામે વાળાને આપણે આસાનીથી કોઈ પણ પ્રશ્ન કરી દેતા હોઈએ છીએ....પરંતુ આપણે પોતાની જાતને સવાલ નથી કરતા... પોતાના વિચારોમાં લોકો એટલા મસ્ત હોય છે કે દુનિયાની પરવાહ નથી હોતી.