Manipur Violence : ફરી ભડકે બળ્યું મણિપુર, ઈન્ટરનેટ સેવા પર લગાવાયો પ્રતિબંધ, જાણો કયા મુદ્દાને લઈ ભડકી હિંસા?


  • Published By :
  • Published Date : 2023-09-27 11:27:45

મણિપુરમાં થોડા મહિનાઓ પહેલા ભડકેલી હિંસા શાંત થવાનું નામ નથી લઈ રહી. આ વિવાદ ત્યારે શરૂ થયો હતો જ્યારે મૈતેઈ સમુદાયના લોકોએ એવી માગ કરી કે તેમનો સમાવેશ અનુસૂચિત જનજાતિમાં કરવામાં આવે. આ માગને લઈ વિવાદ વધ્યો. મેતૈઈ અને કુકી સમુદાય વચ્ચે હિંસાનો માહોલ વ્યાપી ઉઠ્યો. આખો ઘટનાક્રમ શું હતો તે સૌ જાણે છે. સ્થિતિ ઘણા સમય સુધી સામાન્ય ન થઈ હતી. મણિપુરમાં હિંસા ફરી એક વખત ભડકી ઉઠી છે જ્યારે બે વિદ્યાર્થીઓના મોતના સમાચાર સામે આવ્યા ત્યારે. જેને કારણે મણિપુરમાં ફરી એક વખત ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. 

  

બે ઘટનાઓને કારણે ફરી ભડકી હિંસા!

થોડા દિવસો પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા જેમાં બે સ્ટુડન્ટની હત્યા થઈ હતી. ફરી એક વખત મણિપુરમાં હિંસા ભડકી ઉઠી છે. બે વિદ્યાર્થીઓની હત્યાની તપાસ કરવા સીબીઆઈ આજે મણિપુર જવાની છે. આ બધા વચ્ચે મણિપુરના મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને સાથે મળીને કામ કરી રહી છે. દોષીઓને છોડવામાં નહીં આવે અને આરોપીઓને તરત પકડી લેવામાં આવશે. મણિપુરમાં ભડકેલી હિંસા પાછળ બે ઘટનાઓ જવાબદાર છે. એક ઘટના 23 સપ્ટેમ્બરની છે અને બીજી ઘટના 26 સપ્ટેમ્બરની છે. 

મેરી કોમે પીએમ મોદીને કરી અપીલ, 'સળગી રહેલા મણિપુરને બચાવો'

સોશિયલ મીડિયા પર ફરતા થયા વિદ્યાર્થીઓના મૃતદેહના ફોટા 

23 સપ્ટેમ્બરની ઘટનાની વાત કરીએ તો ઈન્ટનેટ સેવા પર લગાવવામાં આવેલો પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો હતો. પ્રતિબંધ હટતા જ બે સ્ટુડન્ટના મૃતદેહનો ફોટો વાયરલ થયો હતો. જે ફોટો સામે આવ્યો હતો તેમાં બંને વિદ્યાર્થીઓ જમીન પર પડેલા દેખાતા હતા. મહત્વનું છે કે આ બંને વિદ્યાર્થીઓના મૃતદેહ હજી સુધી નથી મળ્યા. જ્યારે આ મામલે તપાસ કરવામાં આવી ત્યારે તેઓ એક સીસીટીવી કેમેરાના ફુટેજમાં દેખાયા હતા જે જુલાઈ મહિનાના હતા. પરંતુ તે બાદ તે ક્યાં ગયા, તેમની સાથે શું થયું તે જાણી શકાયું નથી. 


વિદ્યાર્થીઓ અને શિક્ષકો થયા હતા ઈજાગ્રસ્ત 

બીજી ઘટના 26 સપ્ટેમ્બરના દિવસે બની જ્યારે વિદ્યાર્થીઓ અને સુરક્ષા બળો વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ ઘટનામાં અંદાજીત એક શિક્ષક તેમજ અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. બે વિદ્યાર્થીઓના મોતનો વિરોધ કરવા વિદ્યાર્થીઓ ભેગા થયા હતા. ઘર્ષણ થયા બાદ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના પછી ઈન્ટરનેટ સેવા પર ફરી એક વખત રાજ્ય સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે. 1 ઓક્ટોબર સુધી આ સેવાઓ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.  ત્યારે આ મામલે હવે સીબીઆઈ તપાસ કરવાનું છે તેવી જાણકારી સામે આવી છે. મુખ્યમંત્રીએ આશ્વાસન આપ્યું છે કે આ મામલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાથે મળીને કામ કરશે અને આરોપીઓને છોડવામાં નહીં આવે.

  


વિપક્ષી પાર્ટીઓએ પીએમ મોદીના મૌન પર ઉઠાવ્યા હતા સવાલ 

મહત્વનું છે કે મણિપુરમાં ભડકેલી હિંસા કાંઈ આજની વાત નથી. ઘણા લાંબાથી મણિપુર ભડકી રહ્યું છે. મણિપુરમાં ભડકેલી હિંસાને શાંત કરવા માટે પીએમને અનેક લોકોએ રજૂઆત કરી. મેરી કોમએ પણ પીએમ મોદીને અપીલ કરી હતી કે મણિપુરમાં થઈ રહેલી હિંસા પર કાબુ લાવવા અપીલ કરી હતી. તે સિવાય પણ અનેક લોકોએ, રાજકીય પાર્ટીઓએ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારને અપીલ કરી હતી. સંસદમાં પણ મણિપુરનો મુદ્દો ઉઠતો હતો ત્યારે હંગામો થતો હતો અને કાર્યવાહી સ્થગિત કરવામાં આવતી હતી. વિપક્ષી પાર્ટીઓએ એક સવાલ પૂછ્યો હતો કે મણિપુર સ્થિતિ પર પીએમ મોદી મૌન કેમ છે.   




અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.