'INDIA' મહા ગઠબંધનના સાંસદો 29 અને 30 જુલાઈના રોજ મણિપુરની મુલાકાતે જશે


  • Published By :
  • Published Date : 2023-07-27 16:40:51

મણિપુરમાં છેલ્લા બે મહિનાથી ચાલી રહેલી જાતિય હિંસા અને મહિલાઓને નગ્ન પરેડ કરાવવાની ઘટના મુદ્દે સંસદમાં ભારે હોબાળો થઈ રહ્યો છે. વિરોધ પક્ષો આ મામલે એકજુથ થઈને સંસદમાં સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. આ દરમિયાન જાણવા મળી રહ્યું છે કે I.N.D.I.A. ગઠબંધન સાથે સંકળાયેલા વિપક્ષી સાંસદોની એક ટીમ 29 અને 30 જુલાઈના રોજ મણિપુરની મુલાકાતે જવાની છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ મામલે વિપક્ષ મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ આપી ચુક્યો છે.


 20 થી વધુ સાંસદો જશે મણિપુર


વિપક્ષી મહા ગઠબંધન I.N.D.I.A.ના 26 રાજકીય પક્ષોના સાંસદો આગામી 29-30 જુલાઈના રોજ હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાત લઈ શકે છે. કોંગ્રેસના નેતા મણિકમ ટાગોરે માહિતી આપી હતી કે, 20 થી વધુ સાંસદોનું એક પ્રતિનિધિમંડળ આ સપ્તાહના અંતમાં મણિપુરની મુલાકાત લેશે અને રાજ્યની સ્થિતિની સમીક્ષા કરશે. ટાગોરે જણાવ્યું હતું કે, વિપક્ષી સાંસદો લાંબા સમયથી હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાત લેવા ઇચ્છતા હતા પરંતુ ત્યાંની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમને મંજૂરી ન આપવામાં આવી હતી. રાહુલ ગાંધીએ ગત દિવસોમાં મણિપુરની મુલાકાત લીધી હતી.


મણિપુર મુદ્દે વિપક્ષ અડગ


મણિપુર હિંસા અને વડા પ્રધાનના નિવેદન પર વિસ્તૃત ચર્ચાની માગણી સાથે વિરોધ પક્ષો રાજ્યસભામાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, અમે માંગ કરી રહ્યા છીએ કે વડાપ્રધાન ગૃહમાં આવીને નિવેદન આપે પરંતુ તેઓ રાજકીય નિવેદનો આપી રહ્યા છે અને રાજસ્થાનમાં પ્રચારમાં વ્યસ્ત છે. મતલબ કે તેઓ લોકશાહીમાં માનતા નથી. તે લોકશાહી અને બંધારણને બચાવવા માંગતા નથી. તે સંસદનું અપમાન કરી રહ્યા છે. 20 જુલાઈના રોજ સંસદના ચોમાસુ સત્રની શરૂઆત થઈ ત્યારથી જ વિપક્ષી દળો તેમની માંગણીઓ માટે હોબાળો કરી રહ્યા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.