મણિપુરમાં સ્થિતિ હજુ પણ ભારેલા અગ્નિ જેવી, અત્યાર સુધીમાં 73 લોકોના મોત, CM બિરેન દિલ્હી પહોંચ્યા


  • Published By :
  • Published Date : 2023-05-15 17:17:40

મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. રાજ્યમાં ફાટી નિકળેલી હિંસામાં મૃત્યુઆંક વધીને 73 થઈ ગયો છે. તોફાની તત્વોએ ફરી એકવાર અનેક ઘરોને આગ ચાંપી દીધી છે. આ દરમિયાન મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહ દિલ્હી પહોંચી ગયા છે. તેમણે ગૃહ પ્રધાન અમિત શાહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી અને રાજ્યની વર્તમાન સ્થિતિ વિશે તેમને માહિતગાર કર્યા હતા.


CM બિરેન સિંહ PM મોદી સાથે કરશે મુલાકાત


દરમિયાન એવા સમાચાર છે કે મુખ્યમંત્રી બિરેન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળી શકે છે અને મણિપુરની જમીની પરિસ્થિતિથી વાકેફ કરી શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, CM બિરેન તેમના ચાર કેબિનેટ મંત્રીઓ ટીએચ બિસ્વજીત, ગોવિંદદાસ કોંથૌજમ, ટીએચ બસંતકુમાર, વાય ખેમચંદ સાથે દિલ્હી પહોંચ્યા છે. ગૃહમંત્રી શાહ સાથેની મુલાકાત દરમિયાન તેમની સાથે મણિપુર બીજેપી અધ્યક્ષ એ શારદા દેવી પણ હાજર હતા.


તોફાની તત્વોએ ઘરોને આગ ચાંપી


CM બિરેનની દિલ્હી મુલાકાત વચ્ચે શનિવારે રાત્રે મણિપુરના ટ્રોર્બોંગ વિસ્તારમાં તોફાની તત્વો દ્વારા લગભગ 15 ઘરોને આગ ચાંપી દેવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે, આમાં ઘણા ઘરો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા છે. દરમિયાન હિંસાને જોતા આ વિસ્તારમાં BSFની પાંચ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે BSFની હાજરી વચ્ચે વિસ્તારમાં સ્થિતિ સામાન્ય છે.


ચુરાચંદપુર અને ફેરઝાવલીમાં કર્ફ્યુમાં રાહત નહીં


મણિપુરમાં સ્થિતિ હજુ પણ ભારેલા અગ્નિ જેવી છે, રાજ્ય સરકારે હિંસાગ્રસ્ત ચુરાચંદપુર અને ફરજાવલી જિલ્લાઓમાં કર્ફ્યુમાં રાહત આપી નથી. જોકે, ત્રણ જિલ્લામાં કર્ફ્યુમાં સંપૂર્ણ રાહત આપવામાં આવી છે. પાંચ જિલ્લાઓમાં સવારે 5 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી અને જીરીબામમાં 10 કલાક સુધી કર્ફ્યુમાં રાહત આપવામાં આવી છે. બીજી તરફ મણિપુરમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ હજુ પણ અમલમાં છે. રાજ્ય સરકારે 12 મેના રોજ ઈન્ટરનેટ પ્રતિબંધને વધુ પાંચ દિવસ માટે લંબાવ્યો હતો.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.