મણિપુર હિંસા: ‘આપ’નું બંધનું એલાન, ગુજરાતના આદિવાસી જિલ્લાઓમાં આજે સજ્જડ બંધ


  • Published By :
  • Published Date : 2023-07-23 15:31:41

આમ આદમી પાર્ટીના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય ચૈતર વસાવાએ મણીપુરની ઘટનાના પગલે આપેલા બંધના એલાન બાદ આજે આદિવાસી વિસ્તારમાં બંધ પાડવામાં આવ્યું હતું, મણિપુરની હિંસાને મુદ્દે આજે તમામ આદિવાસી વિસ્તારમાં સજ્જડ બંધ જોવા મળ્યું. મણીપુરમાં અઢી મહિનાથી હિંસા ચાલી રહી છે, તેને રોકવા માટે સરકાર પગલા લે તે આશા સાથે બંધ પાડવામાં આવ્યો હતો. બંધના એલાનને આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, બીટીપી સહિત અનેક સંગઠનોએ સમર્થન જાહેર કર્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે મણીપુરમાં બે મહિલાઓ સાથે જે બર્બરતા આચરવામાં આવી તેને જોઈને આખો દેશ હચમચી ગયો હતો.


14 જિલ્લા અને 52 તાલુકામાં સજ્જડ બંધ 


મણીપુરમાં થયેલી આ ઘટનાના વિરોધમાં અમે બંધનું એલાન આપ્યું હતું. જેના પગલે 14 જિલ્લા અને 52 તાલુકામાં સજ્જડ બંધ પાડવામાં આવ્યું છે. આ બંધના એલાનને આમ આદમી પાર્ટી, કોંગ્રેસ પાર્ટી, બિટીપી પાર્ટી સહિત અનેક પાર્ટી તથા રાજકીય લોકોએ સમર્થન આપ્યું હતું. આના સિવાય ખેડૂત સંગઠન, સામાજિક સંગઠન, ધાર્મિક સંગઠન, વેપારી સંગઠન સહિત તમામ લોકોએ પણ આ બંધને સમર્થન આપ્યું હતું. અમે આ સહુ સંગઠન અને તમામ લોકોનો આભાર માનીએ છીએ.


ચૈતર વસાવાએ શું કહ્યું?


આમ આદમી પાર્ટીના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય ચૈતર વસાવાએ મણીપુરની ઘટનાના પગલે આજે આદિવાસી વિસ્તારમાં બંધ પાડવામાં આવ્યું, તે બાબત પર મીડિયા સમક્ષ પોતાની વાત કરતા જણાવ્યું કે, મણિપુરમાં અઢી મહિનાથી કુકી અને મૈતી સમુદાય વચ્ચે હિંસા ચાલી રહી છે. તેમાં અત્યાર સુધી પુરુષ, બાળકો અને મહિલાઓ સહિત કુલ 150થી વધુ લોકોની હત્યા થઈ ચૂકી છે અને 60,000 જેટલા લોકો વિસ્થાપિત થઈ ચૂક્યા છે. હજારો લોકો પોતાનો જીવ બચાવવા માટે જંગલો તરફ ભાગી ગયા છે. અને ગામેગામ આગમાં બાળી નાખવામાં આવ્યા છે. કૂકી સમુદાયની બે મહિલાઓને નિવસ્ત્ર કરીને તેમનો જુલુસ કાઢવામાં આવ્યું હતું. 100થી વધારે મૈતી સમુદાયના પુરુષોએ તેમને જુલુસમાં ફેરવી અને તેમની સાથે જાતીય હિંસા આચરી હતી. આ ઘટનાને જોઈને આખો દેશ હચમચી ગયો છે. પરંતુ દેશના રાષ્ટ્રપ્રધાન એક શબ્દ બોલવા માટે તૈયાર નથી. આ સિવાય દેશના વડાપ્રધાન, મહિલા મંત્રી સ્મૃતિ ઈરાની અને ગૃહ મંત્રી પણ કંઈ બોલવા માટે તૈયાર નથી. મણીપુરના મુખ્યમંત્રીએ તો તેમ કહી દીધું કે "મણિપુરમાં આવી હજારો ઘટના ઘટી છે, એટલા માટે ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યું છે." તો મારે તેમને એટલું જ કહેવું છે કે જો તમે કાયદો અને વ્યવસ્થા ન જાળવી શકતા હોય તો તમારે રાજીનામું આપી દેવું જોઈએ. અમે મણીપુરના રાજ્યપાલને પણ કહીએ છીએ કે તમે પણ રાજીનામું આપી દો.


ભારત બંધના એલાનની ચિમકી


આપના નેતા ચૈતર વસાવાએ જાહેરાત કરી હતી કે અમને આશા છે કે સરકાર મણીપુરમાં હસ્તક્ષેપ કરી અને ત્યાં થઈ રહેલ હિંસાને અટકાવશે. જો સરકાર દ્વારા મણીપુર હિંસા બાબતે હસ્તક્ષેપ કરવામાં નહીં આવે, તો આવનારા સમયમાં અમે સમગ્ર ગુજરાત સહિત આખા દેશમાં બંધનું એલાન પણ આપી શકીશું અને રસ્તા પર ઉતરવાની જરૂરત પડી તો અમે રસ્તા પર પણ ઉતરીશું. અને જો દિલ્હીમાં જંતર મંતર પર ધરણા પર બેસવું પડ્યું તો લાખોની સંખ્યામાં જંતર મંતર પર આવીને વિરોધ પણ કરીશું. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!