ત્રિપુરાના મુખ્યમંત્રી તરીકે માણિક સાહાએ લીધા શપથ, પીએમ તેમજ અમિત શાહ રહ્યા શપથ સમારોહમાં હાજર


  • Published By :
  • Published Date : 2023-03-08 13:40:46

થોડા સમય પહેલા ત્રણ રાજ્યોમાં ચૂંટણી યોજાઈ હતી. મેઘાલય, નાગાલેન્ડ તેમજ ત્રિપુરામાં ચૂંટણી યોજાઈ હતી. ત્યારે ત્રિપુરાના મુખ્યમંત્રી તરીકે માણિક સાહાએ શપથ ગ્રહણ કર્યા છે. શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન મોદી, તેમજ અમિત શાહ હાજર રહ્યા હતા. સોમવારે મળેલી વિધાયક દળની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાયો હતો. સાહાની સાથે 9 મંત્રીઓએ શપથ લીધા હતા જેમાં ભાજપના આઠ અને આઈપીએફટીના એક વિધાયકે શપથ લીધા હતા.


વિધાયક દળની બેઠકમાં લેવાયો નિર્ણય 

માણિક સાહાએ શુક્રવારે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપી દીધું હતું. 16 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાયું હતું જેનું પરિણામ 2 માર્ચના રોજ આવ્યું હતું. આ વખતના મતદાનમાં 86 ટકા જેટલું મતદાન થયું હતું. ત્યારે ત્રિપુરાના મુખ્યમંત્રી તરીકે માણિક સાહાએ શપથ લીધા છે. બીજી વખત તેઓ સીએમ બન્યા છે. સોમવારે ભાજપના વિધાયક દળની બેઠક બોલાવામાં આવી હતી જેમાં સર્વ સન્મતિથી વિધાયક દળના નેતા તરીકે માણિક સાહાના નામનો પ્રસ્તાવ રાખ્યો હતો. જે બાદ તેમણે ટ્વિટ પણ કર્યું હતું અને તેમની પસંદગી કરવા બદલ આભાર પણ માન્યો હતો. 

9 ધારાસભ્યોએ લીધા મંત્રી તરીકેના શપથ 

મુખ્યમંત્રીની સાથે રતન લાલ નાથ, પ્રાણજીત સિંહા રોય, સાન્તાના ડોજ, સુશાંત ચૌધરી, વિકાસ દેબબર્મા, સુધાંગશુ દાસ તેમજ સુક્લા ચરણ નોતીયાએ કેબિનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. આ શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન મોદી, અમિત શાહ તેમજ જે.પી નડ્ડા હાજર રહ્યા હતા. આ શપથ વિધી કાર્યક્રમ અગરતલાના સ્વામી વિવેકાનંદ મેદાનમાં યોજાયો હતો. ગઈકાલે મેઘાલય અને નાગાલેન્ડના મુખ્યમંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા.   



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!