ત્રિપુરાના મુખ્યમંત્રી તરીકે માણિક સાહાએ લીધા શપથ, પીએમ તેમજ અમિત શાહ રહ્યા શપથ સમારોહમાં હાજર


  • Published By :
  • Published Date : 2023-03-08 13:40:46

થોડા સમય પહેલા ત્રણ રાજ્યોમાં ચૂંટણી યોજાઈ હતી. મેઘાલય, નાગાલેન્ડ તેમજ ત્રિપુરામાં ચૂંટણી યોજાઈ હતી. ત્યારે ત્રિપુરાના મુખ્યમંત્રી તરીકે માણિક સાહાએ શપથ ગ્રહણ કર્યા છે. શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન મોદી, તેમજ અમિત શાહ હાજર રહ્યા હતા. સોમવારે મળેલી વિધાયક દળની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાયો હતો. સાહાની સાથે 9 મંત્રીઓએ શપથ લીધા હતા જેમાં ભાજપના આઠ અને આઈપીએફટીના એક વિધાયકે શપથ લીધા હતા.


વિધાયક દળની બેઠકમાં લેવાયો નિર્ણય 

માણિક સાહાએ શુક્રવારે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપી દીધું હતું. 16 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાયું હતું જેનું પરિણામ 2 માર્ચના રોજ આવ્યું હતું. આ વખતના મતદાનમાં 86 ટકા જેટલું મતદાન થયું હતું. ત્યારે ત્રિપુરાના મુખ્યમંત્રી તરીકે માણિક સાહાએ શપથ લીધા છે. બીજી વખત તેઓ સીએમ બન્યા છે. સોમવારે ભાજપના વિધાયક દળની બેઠક બોલાવામાં આવી હતી જેમાં સર્વ સન્મતિથી વિધાયક દળના નેતા તરીકે માણિક સાહાના નામનો પ્રસ્તાવ રાખ્યો હતો. જે બાદ તેમણે ટ્વિટ પણ કર્યું હતું અને તેમની પસંદગી કરવા બદલ આભાર પણ માન્યો હતો. 

9 ધારાસભ્યોએ લીધા મંત્રી તરીકેના શપથ 

મુખ્યમંત્રીની સાથે રતન લાલ નાથ, પ્રાણજીત સિંહા રોય, સાન્તાના ડોજ, સુશાંત ચૌધરી, વિકાસ દેબબર્મા, સુધાંગશુ દાસ તેમજ સુક્લા ચરણ નોતીયાએ કેબિનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. આ શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન મોદી, અમિત શાહ તેમજ જે.પી નડ્ડા હાજર રહ્યા હતા. આ શપથ વિધી કાર્યક્રમ અગરતલાના સ્વામી વિવેકાનંદ મેદાનમાં યોજાયો હતો. ગઈકાલે મેઘાલય અને નાગાલેન્ડના મુખ્યમંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.