સૌરાષ્ટ્રના વિવિધ માર્કેટ યાર્ડમાં કેરીની ધૂમ આવક થતાં ભાવ ગગડ્યા, 10 કિલો કેરીની આ કિંમતે થાય છે હરાજી


  • Published By :
  • Published Date : 2023-05-31 16:24:24

કેસર કેરીના શોખિનો માટે સારા સમાચાર આવ્યા છે, સૌરાષ્ટ્રની જગવિખ્યાત કેસર કેરીનો સ્વાદ હવે સામાન્ય માણસ પણ માણી શકશે. સૌરાષ્ટ્રના વિવિધ માર્કેટ યાર્ડમાં કેરીની ધૂમ આવક શરુ થઇ છે. કેરીની મહારાણી ગણાતી કેસર કેરીથી જુનાગઢ યાર્ડ ઉભરાઈ ગયું છે. માર્કેટ યાર્ડમાં દરરોજ 15થી 20 હજાર બોક્સ ઉતરી રહ્યા છે. હરાજીમાં 10 કિલોના 350થી લઇને 500 રૂપિયા સુધીની કેરીની હરાજી થાય છે. 


કેરીના મબલખ ઉત્પાદનના કારણે ભાવ ગગડ્યા


સૌરાષ્ટ્રમાં પાછોતરી કેરી એક સાથે આવી છે અને મબલક કેરી માર્કેટ યાર્ડમાં આવી રહી છે, જેને કારણે ભાવ ગગડ્યા છે. કેરીના બગીચાનો ઈજારો રાખનાર ઇજારદારોનું કહેવું છે કે, અમને હતું કે ભાવ વધે તો અમને ફાયદો થાય એટલે કેરી ઓછી લાવતા હતા પણ હવે કેરી ચારે તરફથી આવતા કેરીની આવક વધી છે. કેરીના વેપારીઓનું કહેવું છે કે કેરીની ધૂમ આવક છે એટલે ભાવ નીચા ગયા છે. જેને લઇ અમારે પણ કેરી સસ્તી વેચવી પડે છે.

 

કમોસમી વરસાદને કેરીના ઉત્પાદનને ફટકો

 

ચાલુ વર્ષે હવામાનમાં વારંવાર પલટો આવતાની સાથે કેરીના પાક પર ગંભીર અસર થઇ હતી.ખાસ તો ભારે પવન, કમોસમી વરસાદને કારણે વર્ષમાં એક વાર આવતા કેરીના પાક પર વિપરીત અસર થઇ હતી. શરૂઆતમાં કેરીની આવક ઓછી થઇ હતી અને ભાવ 1200ને પાર કરી ગયો હતો. પણ વાતાવરણને લઇ કેરી ખરી પડી અને ખાસ તો કેરી બગીચાનો ઈજારો રાખનાર ઇજારદારો મુશ્કેલીમાં મૂકી ગયા હતા. કેરીના પાક પર ગંભીર અસર થતા ખેડૂતો, ઇજારદારો અને વેપારીને પણ નુકશાન થયું હતું.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.