Iskconને લઈ Maneka Gandhiએ કહી આ વાત, સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-09-27 14:45:40

સોશિયલ મીડિયા પર બીજેપી નેતા અને સાંસદ મેનકા ગાંધીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. અનેક લોકો દ્વારા એ વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જેમાં તે ઈસ્કોનના ગૌશાળાને લઈ વાત કરી રહ્યા છે. વીડિયોમાં તે કહી રહ્યા છે કે ઈસ્કોનની ગૌશાળાઓમાં માત્ર દૂધ આપવા વાળી ગાયો રાખવામાં આવે છે. જ્યારે હું અનંતપુર ગઈ ત્યારે એક ગૌશાળામાં તે ગયા હતા ત્યાં તેમને કોઈ કમજોર ગાય દેખાઈ ન હતી. ન તો કોઈ વાછરડું દેખાયું હતું. તેનો અર્થ એ થાય કે તમામને વેચી દેવાઈ છે.આ વીડિયો વાયરલ થયા બાદ આ અંગે તપાસ થવી જોઈએ તેવી માગ થઈ રહી છે. 

ISKCON GEV Goshala - Feed Cows

સોશિયલ મીડિયા પર વાયરલ થયો મેનકા ગાંધીનો વીડિયો 

આપણે ત્યાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવે છે. ગાયને આપણે માતા કહીએ છીએ ગાયની પૂજા થાય છે. ત્યારે અનેક વખત ગૌ તસ્કરી થતી હોવાના સમાચાર સામે આવતા હોય છે. કસાઈને ત્યાંથી અનેક વખત ગાયોને છોડાવાતી હોય છે. અનેક મંદિરો એવા છે જ્યાં ગૌશાળા ચાલતી હોય છે. ગાયોને રાખવામાં આવતી હોય છે. ત્યારે ભાજપના નેતા અને સાંસદ મેનકા ગાંધીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઈસ્કોન પર તે વીડિયોમાં સાંસદ ગંભીર આક્ષેપ લગાવી રહ્યા છે. વાયરલ વીડિયોમાં મેનકા ગાંધી આંધ્ર પ્રદેશમાં અનંતપુર સ્થિત ગૌશાળાની વાત કરી રહ્યા છે. 


Adopt a Cow for a Month | ISKCON Medchal

જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં મેનકા ગાંધી કહી રહ્યા છે : 

“હું તમને કહું...દેશના સૌથી મોટા ગદ્દારો ઇસ્કોન છે. તેઓ ગૌશાળા બનાવે છે અને ગૌશાળા ચલાવવા માટે સરકાર તરફથી વિશ્વવ્યાપી લાભ મેળવે છે. મોટી જમીન ઉપલબ્ધ છે. હું હમણાં જ તેમની અનંતપુર ગૌશાળામાં ગઈ હતી. એક પણ સૂકી ગાય ન હતી, એક સંપૂર્ણ ડેરી હતી. એક વાછરડું પણ નહીં. આનો અર્થ એ કે બધું વેચાઈ ગયું. ઈસ્કોન તમામ ગાયો કસાઈઓને વેચી રહી છે. તેઓ જેટલી ગાયો વેચે છે તેટલી અન્ય કોઈ નથી. જે લોકો રસ્તા પર જઈને હરે રામ, હરે કૃષ્ણ કહે છે અને દૂધ... દૂધ... કહે છે તેમનું આખું જીવન દૂધ પર આધારિત છે. તેણે કસાઈઓને જેટલી ગાયો વેચી છે તેટલી ગાયો ભાગ્યે જ કોઈએ વેચી હશે.”


શું છે વીડિયોની હકીકત?

મેનકા ગાંધીનો જે વીડિયો હમણાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તે વીડિયો એક મહિનો જૂનો છે. 18 ઓગસ્ટ 2023માં તેમણે ઈન્ટરવ્યું આપ્યું હતું જેમાં મેનકા ગાંધીએ આ વાત કરી હતી. આ ઈન્ટરવ્યું ડો. હર્ષા આત્મકુરીએ લીધો હતો. આત્મકુરીએ પોતાની ડોક્યુમેન્ટરી માટે તેમનો ઈન્ટરવ્યું લીધો હતો. આ ડોક્યુમેન્ટરીમાં ડેરી ફાર્મિંગ દરમિયાન થતી ક્રૂરતા પર આધારીત છે. મેનકા ગાંધીનો વીડિયો વાયરલ થયા બાદ ઈસ્કોન દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે. જે પ્રતિક્રિયા સામે આવી છે તેમાં જણાવવામાં આવ્યું છે કે અમારી સામે એક વીડિયો આવ્યો જેમાં મેનકા ગાંધી દ્વારા જે માહિતી આપવામાં આવી રહી છે તે ખોટો છે. દેશભરમાં ઈસ્કોન કેટલી ગૌશાળા ચલાવે છે તે અંગેની માહિતી આપવામાં આવી છે. 


 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.