Iskconને લઈ Maneka Gandhiએ કહી આ વાત, સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-09-27 14:45:40

સોશિયલ મીડિયા પર બીજેપી નેતા અને સાંસદ મેનકા ગાંધીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. અનેક લોકો દ્વારા એ વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જેમાં તે ઈસ્કોનના ગૌશાળાને લઈ વાત કરી રહ્યા છે. વીડિયોમાં તે કહી રહ્યા છે કે ઈસ્કોનની ગૌશાળાઓમાં માત્ર દૂધ આપવા વાળી ગાયો રાખવામાં આવે છે. જ્યારે હું અનંતપુર ગઈ ત્યારે એક ગૌશાળામાં તે ગયા હતા ત્યાં તેમને કોઈ કમજોર ગાય દેખાઈ ન હતી. ન તો કોઈ વાછરડું દેખાયું હતું. તેનો અર્થ એ થાય કે તમામને વેચી દેવાઈ છે.આ વીડિયો વાયરલ થયા બાદ આ અંગે તપાસ થવી જોઈએ તેવી માગ થઈ રહી છે. 

ISKCON GEV Goshala - Feed Cows

સોશિયલ મીડિયા પર વાયરલ થયો મેનકા ગાંધીનો વીડિયો 

આપણે ત્યાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવે છે. ગાયને આપણે માતા કહીએ છીએ ગાયની પૂજા થાય છે. ત્યારે અનેક વખત ગૌ તસ્કરી થતી હોવાના સમાચાર સામે આવતા હોય છે. કસાઈને ત્યાંથી અનેક વખત ગાયોને છોડાવાતી હોય છે. અનેક મંદિરો એવા છે જ્યાં ગૌશાળા ચાલતી હોય છે. ગાયોને રાખવામાં આવતી હોય છે. ત્યારે ભાજપના નેતા અને સાંસદ મેનકા ગાંધીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઈસ્કોન પર તે વીડિયોમાં સાંસદ ગંભીર આક્ષેપ લગાવી રહ્યા છે. વાયરલ વીડિયોમાં મેનકા ગાંધી આંધ્ર પ્રદેશમાં અનંતપુર સ્થિત ગૌશાળાની વાત કરી રહ્યા છે. 


Adopt a Cow for a Month | ISKCON Medchal

જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં મેનકા ગાંધી કહી રહ્યા છે : 

“હું તમને કહું...દેશના સૌથી મોટા ગદ્દારો ઇસ્કોન છે. તેઓ ગૌશાળા બનાવે છે અને ગૌશાળા ચલાવવા માટે સરકાર તરફથી વિશ્વવ્યાપી લાભ મેળવે છે. મોટી જમીન ઉપલબ્ધ છે. હું હમણાં જ તેમની અનંતપુર ગૌશાળામાં ગઈ હતી. એક પણ સૂકી ગાય ન હતી, એક સંપૂર્ણ ડેરી હતી. એક વાછરડું પણ નહીં. આનો અર્થ એ કે બધું વેચાઈ ગયું. ઈસ્કોન તમામ ગાયો કસાઈઓને વેચી રહી છે. તેઓ જેટલી ગાયો વેચે છે તેટલી અન્ય કોઈ નથી. જે લોકો રસ્તા પર જઈને હરે રામ, હરે કૃષ્ણ કહે છે અને દૂધ... દૂધ... કહે છે તેમનું આખું જીવન દૂધ પર આધારિત છે. તેણે કસાઈઓને જેટલી ગાયો વેચી છે તેટલી ગાયો ભાગ્યે જ કોઈએ વેચી હશે.”


શું છે વીડિયોની હકીકત?

મેનકા ગાંધીનો જે વીડિયો હમણાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તે વીડિયો એક મહિનો જૂનો છે. 18 ઓગસ્ટ 2023માં તેમણે ઈન્ટરવ્યું આપ્યું હતું જેમાં મેનકા ગાંધીએ આ વાત કરી હતી. આ ઈન્ટરવ્યું ડો. હર્ષા આત્મકુરીએ લીધો હતો. આત્મકુરીએ પોતાની ડોક્યુમેન્ટરી માટે તેમનો ઈન્ટરવ્યું લીધો હતો. આ ડોક્યુમેન્ટરીમાં ડેરી ફાર્મિંગ દરમિયાન થતી ક્રૂરતા પર આધારીત છે. મેનકા ગાંધીનો વીડિયો વાયરલ થયા બાદ ઈસ્કોન દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે. જે પ્રતિક્રિયા સામે આવી છે તેમાં જણાવવામાં આવ્યું છે કે અમારી સામે એક વીડિયો આવ્યો જેમાં મેનકા ગાંધી દ્વારા જે માહિતી આપવામાં આવી રહી છે તે ખોટો છે. દેશભરમાં ઈસ્કોન કેટલી ગૌશાળા ચલાવે છે તે અંગેની માહિતી આપવામાં આવી છે. 


 



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કની સામે જોરદાર વિરોધ જોવા મળી રહ્યો છે. અમેરિકાના બધા જ ૫૦ રાજ્યોમાં તેમનો વિરોધ થયો છે. હવે ઈલોન મસ્કે ટેરિફને લઇને પોતાના સુર બદલ્યા છે. તો આ તરફ ચાઈનાએ કાઉંટર ટેરિફ અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફ પર લગાડ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શ્રીલંકાનું સૌથી ઉચ્ચ નાગરિક સન્માન આપવામાં આવ્યું છે.

વાત કરીએ વિશ્વની તો ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વિસ્ફોટના કારણે ત્યાં મહામંદી આવવાના એંધાણ છે. કેમ કે આજથી ૯૫ વર્ષ પેહલા અમેરિકામાં ટેરિફ લગાવવા પર ત્યાં ભયંકર મંદી આવી હતી. કેરેબિયન સમુદ્રનો એક દેશ જેનું નામ છે , હૈતી કે જ્યાં દેખાવકારોએ ત્યાં ગેંગસ્ટરોની સામે જોરદાર દેખાવો કર્યા છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીમસ્ટેકની સમિટમાં ભાગ લેવા થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં પહોંચ્યા છે . ઉપરાંત વાત કરીએ ઓસ્ટ્રેલિયાની તો ત્યાંના પીએમ એન્થની આલ્બાનીઝ ચૂંટણી પ્રચાર દરમ્યાન પડી ગયા હતા.

ડોનાલ્ડ ટ્રમ્પએ જે "ટેરિફ વિસ્ફોટ" કર્યો છે હવે તેની સામે વિશ્વના દેશોએ અલગ અલગ તૈયારી કરી છે જેમ કે ચાઇના આ ટેરિફને લઇને કાઉન્ટર ટેરિફ અમેરિકા પર લગાવશે જયારે ઓસ્ટ્રેલિયા ટ્રમ્પ સાથે ચર્ચા કરશે .

હવે અમેરિકા આ બધા જ દેશ પર કેટલો ટેરિફ લગાડવા જઈ રહ્યું છે તે પણ જણાવ્યું હતું. ભારત,અમેરિકન વસ્તુઓ ઉપર ૫૨% ટેરિફ લગાડે છે,જયારે હવે અમેરિકા ડીસ્કાઉન્ટ સાથે હવેથી ભારતની અમેરિકામાં થતી નિકાસો ૨૬% ટેરિફ વસુલશે.વ્હાઇટ હાઉસ દ્વારા આ ટેરિફ અમલીકરણ એપ્રિલની ૫મી તારીખથી શરુ થશે.અમેરિકાએ આ તમામ દેશ ઉપર ૧૦% ફ્લેટ ટેરિફ લગાડ્યો છે. આ ટેરીફનો અમલ એપ્રિલની ૯મી તારીખથી શરુ થશે.ભારત માટે શરૂઆતમાં ૫મી એપ્રિલથી ૧૦ ટકા ટેરિફ લાગશે અને પછી એપ્રિલની ૯મી તારીખથી બીજો ૧૬ ટકા ટેરિફ ઉમેરાશે. આમ ભારત ઉપર ટોટલ ૨૬ ટકા ટેરીફનું અમલીકરણ શરુ થઈ જશે.