મેનકા ગાંધીને વિવાદાસ્પદ નિવેદન ભારે પડ્યું, ઈસ્કોને 100 કરોડનો માનહાનિનો દાવો કર્યો, ફટકારી નોટિસ


  • Published By :
  • Published Date : 2023-09-29 17:19:16

ઈસ્કોન અંગે વિવાદાસ્પાદ નિવેદન કરનારા ભાજપના નેતા મેનકા ગાંધીની મુશ્કેલી વધી છે, પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી સામે ઇસ્કોને 100 કરોડનો માનહાનિનો દાવો કર્યો છે. ઈસ્કોનના કોલકાત્તાના ઉપાધ્યક્ષ રાધારમણ દાસે કહ્યું હતું કે મેનકા ગાંધી સામે 100 કરોડ રૂપિયાના માનહાનિના દાવાની નોટિસ ફટકારી છે. દાસે કહ્યું કે 'કોઈ સાંસદ કોઈ પણ પ્રકારના તથ્યો વગર આવા આરોપ કઈ રીતે આરોપ લગાવી શકે છે? રાધારમણ દાસે કહ્યું કે મેનકા ગાંધીનું નિવેદન ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે, તેમના આવા નિવેદનથી દુનિયાભરમાં ફેલાયેલા અમારા અનુયાયીને દુ:ખ થયું છે. અમે મેનકા ગાંધી સામે માનહાનિનો કેસ કરી રહ્યા છીએ. અમે તેમના પર નોટિસ મોકલી છે. કોઈ સાંસદ, જે કેન્દ્રીય મંત્રી પણ રહી ચુક્યા છે, તે કોઈ પણ તથ્ય વગર આટલા મોટા વર્ગ સામે જુઠ્ઠું કઈ રીતે બોલી શકે છે.' 


 મેનકા ગાંધીએ શું નિવેદન આપ્યું હતું?


પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીના એક નિવેદનને લઈને હાલ વિવાદ ચાલી રહ્યો છે. આ નિવેદનમાં મેનકા ગાંધીએ આરોપ લગાવ્યો છે કે ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ (ઈસ્કોન)ની ગૌશાળાઓમાં રાખવામાં આવેલી ગાયોને કસાઈઓને વેચવામાં આવે છે. ગાંધીએ કહ્યું કે 'ઇસ્કોને ગૌશાળાઓ બનાવીને ઘણો ફાયદો ઉઠાવ્યો છે અને તેના આધારે તેણે સરકાર પાસેથી જમીનના રૂપમાં મોટો ફાયદો પણ લીધો છે. ઈસ્કોન તેની બધી ગાયો કસાઈઓને વેચી રહી છે અને તેમનાથી વધુ આવું કોઈ કરી રહ્યું નથી. ઉલ્લેખનિય છે કે મેનકા ગાંધી પ્રાણીઓના અધિકાર માટે લડતા રહ્યા છે.


ઇસ્કોન સોસાયટીએ મેનકા ગાંધીના આ નિવેદન સામે સખત વાંધો ઉઠાવ્યો હતો અને મેનકા ગાંધીના આરોપોને ફગાવી દીધા હતા. ઇસ્કોને એક સત્તાવાર નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે ઇસ્કોન ગાય અને બળદની સુરક્ષા માટે એક ચોકીદાર છે અને તે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ગાયોની સેવા માટે સમર્પિત રહ્યું છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.