મેનકા ગાંધીને વિવાદાસ્પદ નિવેદન ભારે પડ્યું, ઈસ્કોને 100 કરોડનો માનહાનિનો દાવો કર્યો, ફટકારી નોટિસ


  • Published By :
  • Published Date : 2023-09-29 17:19:16

ઈસ્કોન અંગે વિવાદાસ્પાદ નિવેદન કરનારા ભાજપના નેતા મેનકા ગાંધીની મુશ્કેલી વધી છે, પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી સામે ઇસ્કોને 100 કરોડનો માનહાનિનો દાવો કર્યો છે. ઈસ્કોનના કોલકાત્તાના ઉપાધ્યક્ષ રાધારમણ દાસે કહ્યું હતું કે મેનકા ગાંધી સામે 100 કરોડ રૂપિયાના માનહાનિના દાવાની નોટિસ ફટકારી છે. દાસે કહ્યું કે 'કોઈ સાંસદ કોઈ પણ પ્રકારના તથ્યો વગર આવા આરોપ કઈ રીતે આરોપ લગાવી શકે છે? રાધારમણ દાસે કહ્યું કે મેનકા ગાંધીનું નિવેદન ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે, તેમના આવા નિવેદનથી દુનિયાભરમાં ફેલાયેલા અમારા અનુયાયીને દુ:ખ થયું છે. અમે મેનકા ગાંધી સામે માનહાનિનો કેસ કરી રહ્યા છીએ. અમે તેમના પર નોટિસ મોકલી છે. કોઈ સાંસદ, જે કેન્દ્રીય મંત્રી પણ રહી ચુક્યા છે, તે કોઈ પણ તથ્ય વગર આટલા મોટા વર્ગ સામે જુઠ્ઠું કઈ રીતે બોલી શકે છે.' 


 મેનકા ગાંધીએ શું નિવેદન આપ્યું હતું?


પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીના એક નિવેદનને લઈને હાલ વિવાદ ચાલી રહ્યો છે. આ નિવેદનમાં મેનકા ગાંધીએ આરોપ લગાવ્યો છે કે ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ (ઈસ્કોન)ની ગૌશાળાઓમાં રાખવામાં આવેલી ગાયોને કસાઈઓને વેચવામાં આવે છે. ગાંધીએ કહ્યું કે 'ઇસ્કોને ગૌશાળાઓ બનાવીને ઘણો ફાયદો ઉઠાવ્યો છે અને તેના આધારે તેણે સરકાર પાસેથી જમીનના રૂપમાં મોટો ફાયદો પણ લીધો છે. ઈસ્કોન તેની બધી ગાયો કસાઈઓને વેચી રહી છે અને તેમનાથી વધુ આવું કોઈ કરી રહ્યું નથી. ઉલ્લેખનિય છે કે મેનકા ગાંધી પ્રાણીઓના અધિકાર માટે લડતા રહ્યા છે.


ઇસ્કોન સોસાયટીએ મેનકા ગાંધીના આ નિવેદન સામે સખત વાંધો ઉઠાવ્યો હતો અને મેનકા ગાંધીના આરોપોને ફગાવી દીધા હતા. ઇસ્કોને એક સત્તાવાર નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે ઇસ્કોન ગાય અને બળદની સુરક્ષા માટે એક ચોકીદાર છે અને તે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ગાયોની સેવા માટે સમર્પિત રહ્યું છે.



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.