ઠક્કરબાપા નગરની શાળામાંથી ગુમ થયેલો માનવ 40 કલાક બાદ મળ્યો, પરિવારજનોએ લીધો રાહતનો શ્વાસ


  • Published By :
  • Published Date : 2023-01-22 15:05:55

અમદાવાદના ઠક્કરબાપા નગરમાં આવેલી રઘુવીર શાળાનો વિદ્યાર્થી માનવ અચાનક ગુમ થઈ ગયો હતો. 20 જાન્યુઆરીથી ગુમ થયેલો બાળક અંતે 40 કલાક બાદ મળી આવ્યો છે. કાલુપુર રેલ્વે સ્ટેશન પરથી મળી આવ્યો હતો. 9માં ધોરણમાં ભણતો માનવ ગુમ થઈ જતા પરિવારના સભ્યોને જાણ કરવામાં આવી હતી. 24 કલાક વિત્યા બાદ પણ માનવ ઘરે પરત ન આવતા પરિવારજનોએ શાળામાં જઈ હોબાળો કર્યો હતો. 

પરિવારને જાણ થતાં સ્કૂલે પહોંચીને હોબાળો કર્યો હતો

માનવના માતા-પિતાએ શાળામાં કર્યો હતો હંગામો 

ઠક્કરબાપાની રઘુવીર શાળામાં ભણતો માનવ સ્કૂલમાંથી એકાએક ભાગી ગયો હતો. સ્કૂલમાંથી જતા રહ્યા બાદ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા પરિવારના સભ્યોને જાણ કરવામાં આવી હતી. 24 કલાક વિત્યા બાદ પણ માનવ ઘરે ન આવતા અધિરા બનેલા પરિવારના સભ્યોએ શાળામાં હોબાળો કર્યો હતો. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.


કાલુપુર રેલવે સ્ટેશનથી મળી આવ્યો માનવ 

પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કર્યા બાદ પોલીસ માનવની શોધખોળ કરી રહી હતી. અંદાજીત 40 કલાક બાદ માનવ કાલુપુર રેલ્વે સ્ટેશનથી મળી આવ્યો હતો. માનવ જ્યારે મળ્યો ત્યારે તે સ્કુલ યુનિફોર્મમાં ન હતો પરંતુ બદલાયેલા કપડામાં મળ્યો હતો. કપડા બદલાયેલા હતા તે અનેક સવાલો ઉભી કરી રહ્યું છે. મોડી રાત્રે બાળક સ્ટેશન પરથી મળી આવતા માતા પિતાને બાળક સોંપવામાં આવ્યું છે. સુરક્ષિત હાલતમાં બાળક મળી આવતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ શાળામાંથી માનવ શા માટે ભાગી ગયો હતો તે કારણ હજી પણ અકબંધ છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.