યાર શિયાળો ક્યારે આવશે ? ,અમદાવાદમાં પવનની દિશા બદલાતા 36 ડિગ્રી તાપમાન થયું !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-04 12:15:52


બુધવારથી રાજ્યમાં  શરૂ થયેલાં ઉત્તરથી ઉત્તર-પૂર્વીય પવનોથી અમદાવાદ સહિત 9 શહેરોમાં ગરમીનો પારો 36 ડિગ્રીને પાર કરી ગયો છે. જેના કારણે બપોરે ગરમી અને સાંજ થતાં થોડી શીતળતાનો અનુભવ થાય . હજુ ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નહિવત હોવાથી ગરમીનું પ્રમાણ યથાવત રહેશે. 

Gujarat Weather Report : રાજ્યમાં ગરમીમાં 2 ડીગ્રી જેટલો ઘટાડો નોંધાયો

ગુરુવારે અમદાવાદમાં વહેલી સવારથી જ ઠંડા પવનોનું જોર ઘટ્યું હતું. મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.8 ડિગ્રી વધીને 36.2 ડિગ્રી અને લઘુતમ તાપમાન 0.5 ડિગ્રી વધીને 18.8 ડિગ્રીએ પહોંચ્યું હતું. બફારાનો અનુભવ કર્યો હતો. અમદાવાદ સહિત રાજ્યના 9 શહેરો જેવાં કે, ડીસા, વલસાડ, કેશોદ, સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટમાં ગરમીનો પારો 36થી 37 ડિગ્રીની આસપાસ નોંધાયો હતો, તેમજ ભુજ અને કંડલા એરપોર્ટ 38.6 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર બન્યાં હતા. અન્ય તમામ શહેરોમાં ગરમીનો પારો 31થી 35 ડિગ્રીની આસપાસ રહેતાં ગરમી અને બફારામાં વધારો થયો હતો. ત્રણ દિવસ રાજ્યમાં બપોરે ગરમી-બફારો તેમજ વહેલી સવાર-સાંજ ઠંડકને કારણે લોકોને ડબલ સિઝનનો અનુભવ થશે.એટલે હજુ થોડા દિવસ આવું વાતાવરણ રહવાની સંભાવના છે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.