લોહીથી બનાવેલુ પેઈન્ટિંગ ગિફ્ટમાં મળ્યું તો સોનું સૂદે કહ્યું આવું ન કરાય ભાઈ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-11 15:30:56

કોરોના કાળમાં બોલિવુડ એક્ટર સોનૂ સુદ અનેક લોકોની મદદે આવ્યા હતા. ગરીબો, જરૂરિયાત લોકો, પરપ્રાંતિયો તેમજ બેસહારા લોકો માટે તેઓ મસીહા બન્યા હતા. પોતાના સેવાકીય કાર્યને લઈ સુદને ચાહનારાઓની સંખ્યા લાખોએ પહોંચી છે. સોનૂ સુદને ફેન્સ ગિફટ મોકલતા રહે છે. ત્યારે આ વખતે તેના ચાહકે કલરથી નહીં પરંતુ લોહીથી બનાવેલું પેન્ટિંગ ગિફ્ટ કર્યું છે.જેને લઈ સોનૂ સુદે આવું ન કરી લોહીદાન કરવાની સલાહ આપી છે.

કોરોના કાળમાં મસિહા બન્યા હતા સોનૂ 

અનેક લોકો કોરોના કાળ દરમિયાન ફસાઈ ગયા હતા. ત્યારે જરૂયિયાત લોકોને સોનુ સૂદે મદદ કરી હતી. પરપ્રાતિંય લોકો માટે બસની વ્યવસ્થા હોય કે ભોજનની હોય બધી વ્યવસ્થા સોનૂએ કરી હતી. પોતાના સેવાકીય કામને કારણે અનેક લોકોના દિલમાં સોનૂ સુદે જગ્યા બનાવી છે.

લોહીથી બનાવેલી પેન્ટિંગ કરી ગિફ્ટ

અનેક વખત સુદને ગિફ્ટમાં પોતાના સ્કેચ મળતા હોય છે. આ વખતે ગિફ્ટમાં સ્કેચ જ મળ્યો પરંતુ બનાવનારે કલરને બદલે લોહીનો ઉપયોગ કર્યો છે. જેને લઈ સોનૂ સુદે લોહી દાન કરવાની સલાહ આપી છે.

ચાહકો સાથે રહે છે જોડાયેલા

સોનૂ સુદને પોતાના ફેન્સ સાથે જોડાઈ રહેવાનું વધારે પસંદ છે. જેને કારણે સોશિયલ મીડિયામાં તેઓ ઘણા એક્ટિવ છે. તેણે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર ફેનનો વિડીયો રિ-ટ્વિટ કર્યો છે. ફિલ્મોમાં વિલનનો રોલ નિભાવવાળા સોનૂ સુદ કોરોના કાળ દરમિયાન કામગીરી કરી હીરો બની ગયા હતા. બસ ઉપરાંત ઓક્સિજન તેમજ રેમડિસિવીર દવાની પણ તેમણે વ્યવસ્થા કરી આપી હતી.

રિયલ લાઈફમાં છે હીરો

ફિલ્મોમાં વિલનનો રોલ નિભાવવાળા સોનૂ સુદ કોરોના કાળ દરમિયાન કામગીરી કરી હીરો બની ગયા હતા. બસ ઉપરાંત ઓક્સિજન તેમજ રેમડિસિવીર દવાની પણ વ્યવસ્થા કરી આપી હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે