કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખરગેએ PM મોદીને લખ્યો પત્ર, દેશભરમાં કરાવવામાં આવે જાતિ આધારીત વસ્તી ગણતરી


  • Published By :
  • Published Date : 2023-04-17 14:20:47

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સમગ્ર દેશમાં જાતિ આધારીત વસ્તી ગણતરી કરાવવાની માગ કરતો પત્ર પીએમ મોદીને લખ્યો છે. પીએમને લખેલા આ પત્રમાં ખડગેએ લખ્યું છે કે પ્રિય પ્રધાનમંત્રીજી હું ફરી એક વખત નવેસરથી જાતિ આધારીત વસ્તી ગણતરી કરાવો. તેમણે લખ્યું કે વસ્તી ગણતરી માટે સત્તાવાર રીતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની માંગને લઈને તમને હું આ પત્ર લખી રહ્યો છું. મારા સહયોગીઓએ અને મેં પણ અનેક વખત સંસદના બંને ગૃહોમાં આ માંગ ઉઠાવી છે. અન્ય વિપક્ષી પાર્ટીના નેતાઓએ પણ આ જ માગ કરી રહ્યા છે. 


2021માં યોજાવાની હતી વસ્તી ગણતરી


ખરગેએ પીએમ મોદીને લખ્યું કે વર્ષ 2021માં નિયમિત દસ વર્ષિય વસ્તી ગણતરી યોજાવાની હતી, પરંતું તે થઈ શકી નથી. અમે માગ કરી રહ્યા છીએ કે તે તાત્કાલિક વસ્તી ગણતરી કરવામાં આવે અને વ્યાપક જાતિ આધારીત વસ્તી ગણતરીને તેનો અભિન્ન અંગ બનાવવામાં આવે. તેમણે વધુમાં લખ્યું કે મને આશંકા છે કે જાતિ આધારીત વસ્તી ગણતરીના અભાવમાં સામાજીક ન્યાયના કાર્યક્રમો માટે ડેટા અધુરો છે. 


જેટલી વસ્તી, એટલા અધિકાર!


કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટ્વીટ કર્યું કે જેટલી વસ્તી, એટલા અધિકાર! કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમને પત્ર લખીને માંગણી કરી છે કે 2021માં જે વસ્તીગણતરી થવાની હતી તે તાત્કાલિક હાથ ધરવામાં આવે અને જાતિ ગણતરીને તેનો અભિન્ન ભાગ બનાવવામાં આવે. જયરામ રમેશે પણ કહ્યું કે આનાથી સામાજિક ન્યાય અને સશક્તિકરણ મજબૂત થશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.