કોંગ્રેસ પ્રમુખનું પદ સંભાળતા જ મલ્લિકાર્જુન ખડગેએ પાર્ટીના યુવા નેતાઓ માટે કરી આ જાહેરાત


  • Published By :
  • Published Date : 2022-10-26 12:34:06

કોંગ્રેસ પાર્ટીના નવા ચૂંટાયેલા રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પોતાનું પદ સંભાળી લીધું છે. આ પ્રસંગે તેમને સોનિયા અને રાહુલ ગાંધી સહિત પાર્ટીના તમામ મોટા નેતાઓએ અભિનંદન પાઠવ્યા હતા. કોંગ્રેસના નેતાઓને સંબોધતા ખડગેએ કહ્યું કે, એક સામાન્ય કાર્યકરને અધ્યક્ષ બનાવવા બદલ હું તમારો આભાર માનું છું. આ મારા માટે ભાવનાત્મક ક્ષણ છે. સોનિયા ગાંધીજીએ પક્ષને ખંતપૂર્વક સંભાળ્યો છે. હું પણ મહેનત અને ઈમાનદારીથી કામ કરીશ. આ પ્રસંગે તેમણે સંગઠનની 50 ટકા જગ્યાઓ 50 વર્ષથી ઓછી વયના નેતાઓ માટે અનામત રાખવાની પણ જાહેરાત કરી હતી.


મોદી સરકાર પર કર્યા પ્રહાર


આ દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્રની વર્તમાન સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ન્યુ ઈન્ડિયામાં કોઈ રોજગાર નથી. દેશમાં મોંઘવારી તેની ટોચ પર છે. સરકાર સૂઈ રહી છે. ઈડી અને સીબીઆઈ દ્વારા લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આજના રાજકારણમાં અસત્યનું વર્ચસ્વ છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.