મલ્લિકાર્જુન ખડગેની જાહેરાત, લોકસભા ચૂંટણીમાં BJPને ઘેરવા કોંગ્રેસ OBC અને દલિત કાર્ડ ખેલશે


  • Published By :
  • Published Date : 2023-12-22 17:46:53

દેશની રાજનિતીમાં ઓબીસી અને પછાત વર્ગની સર્કિયતા ઘણી વધી ગઈ છે. જેમ-જેમ 2024ની લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે આ બંને સમુદાયના લોકોને પોતાની તરફ આકર્ષવા માટે તમામ રાજકીય પક્ષો વિવિધ માર્ગો અપનાવી રહ્યા છે. આ લિસ્ટમાં કોંગ્રેસને ટોચ પર રાખવામાં આવે છે, કેમ  કે લોકસભા ચૂંટણી માટે તેની રણનિતી સ્પષ્ટ થઈ ચૂકી છે. આ રણનિતીમાં ઓબીસીની સાથે-સાથે દલિત સમુદાયને પણ પોતાની તરફેણમાં લાવવાની છે.   


એક દલિત તરીકે મારૂં પણ અપમાન 


કોંગ્રેસની આ રણનીતી અંગે ચર્ચા કરતા કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ જંતર-મંતર પર એક નિવેદનમાં કહ્યું કે મારી જાતિના કારણે મારૂ અપમાન કરવામાં આવી રહ્યું છે. આ સમજવું જરૂરી છે કે મિમિક્રી કાંડનો ઉલ્લેખ કર્યો હતો કે તેમનું માનવું હતું કે જગદીપ ધનખડે તેમના અપમાનને જાટ અપમાન સાથે જોડ્યું હતું. તેમનો તર્ક એવો છે કે તે પણ દલિત સમાજમાંથી આવે છે અને તેમને સંસદમાં બોલવાની તક મળી નથી. આ સ્થિતીમાં શું  તેમણે પણ બોલવું જોઈએ કે એક દલિતનું અપમાન કરવામાં આવ્યું છે. 


કર્ણાટક ચૂંટણીની રણનિતી પર ફોકસ

 

કોંગ્રેસે કર્ણાટક ચૂંટણી દરમિયાન જ જાહેરાત કરી હતી કે તે જાતિગત વસ્તી ગણતરીનો મુદ્દો જોરશોરથી ઉઠાવશે. માત્ર તે જ કેમ, આખું ભારત ઈન્ડિયા ગઠબંધનના મુદ્દે તેના સમર્થનમાં ઉભો હતો. આ જ કારણે બિજેપીના વિજય રથને રોકવામાં કોંગ્રેસને સફળતા મળી હતી. આસામમાં કોંગ્રેસ અને વિપક્ષોને લાગે છે કે બિજેપીની હિંદુત્વવાળી પીચ પર રમવું મુશ્કેલ છે. આ સ્થિતીમાં ઓબીસી અને દલિત કાર્ડ દ્વારા ઘેરવાની તૈયારી છે.   



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.