મલ્લિકાર્જુન ખડગેની જાહેરાત, લોકસભા ચૂંટણીમાં BJPને ઘેરવા કોંગ્રેસ OBC અને દલિત કાર્ડ ખેલશે


  • Published By :
  • Published Date : 2023-12-22 17:46:53

દેશની રાજનિતીમાં ઓબીસી અને પછાત વર્ગની સર્કિયતા ઘણી વધી ગઈ છે. જેમ-જેમ 2024ની લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે આ બંને સમુદાયના લોકોને પોતાની તરફ આકર્ષવા માટે તમામ રાજકીય પક્ષો વિવિધ માર્ગો અપનાવી રહ્યા છે. આ લિસ્ટમાં કોંગ્રેસને ટોચ પર રાખવામાં આવે છે, કેમ  કે લોકસભા ચૂંટણી માટે તેની રણનિતી સ્પષ્ટ થઈ ચૂકી છે. આ રણનિતીમાં ઓબીસીની સાથે-સાથે દલિત સમુદાયને પણ પોતાની તરફેણમાં લાવવાની છે.   


એક દલિત તરીકે મારૂં પણ અપમાન 


કોંગ્રેસની આ રણનીતી અંગે ચર્ચા કરતા કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ જંતર-મંતર પર એક નિવેદનમાં કહ્યું કે મારી જાતિના કારણે મારૂ અપમાન કરવામાં આવી રહ્યું છે. આ સમજવું જરૂરી છે કે મિમિક્રી કાંડનો ઉલ્લેખ કર્યો હતો કે તેમનું માનવું હતું કે જગદીપ ધનખડે તેમના અપમાનને જાટ અપમાન સાથે જોડ્યું હતું. તેમનો તર્ક એવો છે કે તે પણ દલિત સમાજમાંથી આવે છે અને તેમને સંસદમાં બોલવાની તક મળી નથી. આ સ્થિતીમાં શું  તેમણે પણ બોલવું જોઈએ કે એક દલિતનું અપમાન કરવામાં આવ્યું છે. 


કર્ણાટક ચૂંટણીની રણનિતી પર ફોકસ

 

કોંગ્રેસે કર્ણાટક ચૂંટણી દરમિયાન જ જાહેરાત કરી હતી કે તે જાતિગત વસ્તી ગણતરીનો મુદ્દો જોરશોરથી ઉઠાવશે. માત્ર તે જ કેમ, આખું ભારત ઈન્ડિયા ગઠબંધનના મુદ્દે તેના સમર્થનમાં ઉભો હતો. આ જ કારણે બિજેપીના વિજય રથને રોકવામાં કોંગ્રેસને સફળતા મળી હતી. આસામમાં કોંગ્રેસ અને વિપક્ષોને લાગે છે કે બિજેપીની હિંદુત્વવાળી પીચ પર રમવું મુશ્કેલ છે. આ સ્થિતીમાં ઓબીસી અને દલિત કાર્ડ દ્વારા ઘેરવાની તૈયારી છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.