Chandrayaan-3ની સફળતા બાદ Mallika Sarabhaiએ યાદ કર્યા Vikram Sarabhaiને જેમણે ISROની કરી હતી સ્થાપના


  • Published By :
  • Published Date : 2023-08-24 13:21:54

ગઈકાલથી દરેક ભારતીઓમાં એક અલગ પ્રકારનો ઉત્સાહ, અલગ પ્રકારનો ગર્વ જોવા મળી રહ્યો છે. ચંદ્રની સપાટી પર જ્યારે ચંદ્રયાન-3એ લેન્ડ કર્યું તે ઐતિહાસિક ક્ષણના સાક્ષી લગભગ દરેક લોકો બન્યા છે. જ્યારે ચંદ્રયાન લેન્ડ થઈ રહ્યું હતું ત્યારે સમગ્ર વિશ્વની નજર ભારત પર હતી. છેલ્લી મિનીટો એવી હતી જ્યારે દરેક ભારતીયોના ધબક્કારા વધી ગયા હતા. ત્યારે ઈસરોની સફળતાના વખાણ દરેક જગ્યાએ થઈ રહ્યા છે. ચંદ્રયાન-3ની ટીમને પણ સો સો સલામ છે જેમણે ભારતનો ડંકો સમગ્ર વિશ્વમાં વગાડ્યો છે. 

Image

આપણે ભૂલી ગયા એ વૈજ્ઞાનિકને જેમણે નાખ્યો હતો ઈસરોનો પાયો 

ઈસરોના વખાણ દરેક જગ્યાએ થઈ રહ્યા છે. ઈસરોની વાત તો દરેક જગ્યાઓ પર થઈ રહી છે પરંતુ આપણે એ વૈજ્ઞાનિકને ભૂલી ગયા જેમણે ઈસરોની સ્થાપના કરી હતી એવા વૈજ્ઞાનિક જેમણે ભારતને સ્પેસ સાયન્સમાં અલગ ઓળખ આપી. ભારતીયો પણ ચંદ્ર કે મંગળ પર જઈ શકે છે તેવો આત્મવિશ્વાસ જગાડ્યો. અમે વાત કરી રહ્યા છીએ વિક્રમ સારાભાઈ. વિક્રમ સારાભાઈ વૈજ્ઞાનિક તો હતા જ પરંતુ સ્પેસ સાયન્સમાં ભારત કેવી રીતે આગળ વધે તેવું વિચારનાર એક સ્વપ્નદ્રષ્ટા પણ હતા. સ્પેસ સાયન્સ આગામી વર્ષોમાં કેવું હશે તેની કલ્પના કરી લીધી હતી. 

Image

સ્પેસ સાયન્સમાં ભારતને આત્મનિર્ભર બનાવવા કરાઈ હતી ઈસરોની સ્થાપના   

તેમની દિર્ધદ્રષ્ટ્રિ અને ભારતને અવકાશક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માટે ઈસરોની સ્થાપના કરી હતી. તેમની વિચારસરણીને કારણે ભારતમાં ઈસરોની શરૂઆત થઈ. ભારત અવકાશ સંશોધન ક્ષેત્રે પણ આત્મનિર્ભર બને, સ્પેસ સાયન્સમાં ભારતનો પણ ડંકો વાગે તે માટે તેમણે ઘણા વર્ષો પહેલા પાયો નાખ્યો. ઈસરો આજે એવા મુકામે પહોંચી ગયું છે કે એ એવી જગ્યા પર પોતાના યાન પહોંચાડી શકે છે જ્યાં આજ સુધી કોઈ નથી પહોંચ્યું. ચંદ્રયાન-3એ એવી જગ્યા પર લેન્ડ કર્યું છે જ્યાં કોઈએ આજદિન સુધી જવાનું વિચાર્યું પણ ન હતું.        


દર્પણ એકેડમીમાં પણ ચાલતું હતું લાઈવ ટેલિકાસ્ટ

ચંદ્રયાન-3નું લેન્ડિંગ થઈ ગયું, દરેક જગ્યાઓ પર સેલિબ્રેશન પણ થઈ ગયું.. અનેક જગ્યાઓ પર આ લેન્ડિંગનું લાઈવ ટેલિકાસ્ટ બતાવવામાં આવતું હતું. એક લાઈવ ટેલિકાસ્ટ વિક્રમ સારાભાઈની દીકરીની એકેડમીમાં પણ બતાવવામાં આવતું હતું. એક પુત્રી માટે સૌથી આનંદદાયી ક્ષણ એ હોય છે જ્યારે તેના પિતાનું સપનું સાકાર થાય છે. એ ક્ષણ પુત્રી માટે એવી હોય છે જ્યારે આંખોમાં આનંદના આંસુ આવી જતા હોય.


મલ્લિકા સારાભાઈ પિતાને યાદ કરી થયા ભાવુક 

જ્યારે ચંદ્રયાન-3 અભિયાન સફળ થયું. ચંદ્રની સપાટી પર ચંદ્રયાનને સોફ્ટ લેન્ડિંગ કર્યું તે વખતે મલ્લિકા સારાભાઈની આંખોમાં પણ એવી લાગણી જોવા મળી હતી. તેમની આંખો આનંદથી છલકાઈ આવી હતી. બોલતા બોલતા તે ભાવુક થઈ ગયા હતા. અભિયાનને યાદ કરતા કરતા તેમને પોતાના પિતાની પણ યાદ આવી ગઈ. પિતાની દિર્ધદ્રષ્ટીને યાદ કરી તેમણે વૈજ્ઞાનિકોનો આભાર માન્યો હતો જે ડો. વિક્રમ સારાભાઈના વિઝન પર છેલ્લા 50 વર્ષથી કામ કરી રહ્યા હતા.     



સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .