Maldives : President મુઈઝુ સામે અવિશ્વાસ પ્રસ્તાવ!, માલદીવના નેતાઓ બીજું શું માંગે છે?


  • Published By :
  • Published Date : 2024-01-09 13:20:51

પીએમ મોદીએ લક્ષદ્વીપનો પ્રચાર કર્યો તે બાદ વિવાદ છેડાઈ ગયો.  માલદિવ્સે જાણે પોતાના પગ ઉપર કુલ્હાડી મારી હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ. પીએમ મોદીના ફોટો પર માલદિવ્સના નેતાઓએ કમેન્ટ કરી હતી અને તે બાદ વિવાદ છેડાઈ ગયો. ફોટાને લઈ શરૂ થયેલી રાજનીતિ હવે આંતરરાષ્ટ્રીય સ્તર પર પહોંચી ગઈ. ભારત અને પીએમ મોદી વિરૂદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરવા બદલ ત્રણ નેતાઓની હકાલપટ્ટી કરવામાં આવી. તે બાદ રાજનીતિ ગરમાઈ રહી છે. ભારત અને માલદીવ વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ વિરુદ્ધ અવિશ્વાસનો મત લાવવાની માંગ કરવામાં આવી છે.   

માલદીવમાં રાષ્ટ્રપતિ વિરૂદ્ધ અવિશ્વાસ લાવવાની તૈયારી!

છેલ્લા ઘણા દિવસોથી ભારતનું લક્ષદ્વીપ અને માલદિવ્સ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યું છે. પીએમ મોદીએ લક્ષદ્વીપને લઈ પોસ્ટ કરી હતી તે બાદ વિવાદ છેડાઈ ગયો. પીએમ મોદીના ફોટા પર માલદીવ્સના ત્રણ નેતાઓએ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ત્રણ નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભારત સાથેના વિવાદ બાદ માલદીવમાં રાષ્ટ્રપતિ મુઈઝ્ઝુ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાની તૈયારી ચાલી રહી છે. માલદીવની વિપક્ષની પાર્ટી (માલદીવ્સ ડેમોક્રેટિક પાર્ટી)ના નેતા અલી અઝીમે કહ્યું છે કે આપણે દેશની વિદેશ નીતિને મજબૂત બનાવી રાખવી પડશે. 


સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયું બોયકોટ માલદીવ્સ 

માલદીવના વિરોધ પક્ષના નેતા અલી અઝીમે કહ્યું છે કે 'આપણે દેશની વિદેશ નીતિને મજબૂત રાખવી પડશે.' આ પહેલા માલદીવના પૂર્વ રક્ષા મંત્રી મારિયા અહેમદે પણ ભારતના વખાણ કર્યા હતા અને રાષ્ટ્રપતિ મુઈઝુના વહીવટની ટીકા કરી હતી. કહ્યું હતું કે 'ભારત આપણા માટે એક મિત્ર જેવો પાડોશી દેશ છે જે ઈમરજન્સીમાં મદદ કરે છે.' મહત્વનું છે કે આ વિવાદ બાદ અલગ અલગ લોકોની પ્રતિક્રિયા સામે આવી. ભારતીયોએ પોતાનું માલદીવ્સનું બુકિંગ કેન્સલ કરાવ્યું. સોશિયલ મીડિયા પર બોયકોટ માલદીવ્સ ટ્રેન્ડ થયું. મહત્વનું છે કે માલદીવ્સનું અર્થતંત્ર પ્રવાસન પર આધારીત છે.       



ભારતની રાજનીતિમાં ઉત્તરની વિરુદ્ધમાં દક્ષિણ થવા જઈ રહ્યું છે . કેમ કે દક્ષિણના રાજ્યો નવા સીમાંકનનો વિરોધ કરવા એક થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે . તો બીજી બાજુ કેન્દ્ર સરકારે આ રાજ્યોની એક પણ બેઠક ઓછી ના થવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે .

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામના યુવકનું અમેરિકા ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં મોત થવાના સમાચાર આવ્યા બાદમાં તાપસ કરતા જાણવા મળ્યું કે ત્રણ મહિના જેટલો સમય થયો દિલીપભાઈ પોતાના ઘરે એવું કહીને નીકળ્યા હતા કે એ ફરવા માટે અમેરિકા જાય છે બસમાં એજન્ટ જોડે સેટિંગ કરીને નિકારગુઆ થઈને અમેરિકાએ ઘુસવાનો હતો પણ પોતે ડાયાબિટીસનો પેશન્ટ હતો અને દોઢેક માસની સફર દરમિયાન ડાયાબિટીસની દવાઓના અભાવને કારણે યુવક બેહોશ થઈ કોમામાં જતો રહ્યો અને જે બાદ તેને નિકારગુઆમાં દાખલ કર્યો અને ત્યાં જ તેનું મૃત્યુ થયું તેવી પ્રાથમિક માહિતી છે જોકે યુવક એકલો નોહ્તો ગયો એની સાથે પત્ની અને એક દીકરો પણ ગયા હતા જે નિકારગુઆમાં જ અટવાયાં છે

પીએમ મોદી ૨૦૧૫ પછી બીજી વાર મોરિશિયસના પ્રવાસે છે . આ વિદેશ પ્રવાસ ખુબ મહત્વનો છે . મોરિશિયસમાં કુલ વસ્તીના ૭૦ ટકા લોકો ભારતીય મૂળના છે . મહાત્મા ગાંધીનો મોરિશિયસ સાથે ખાસ સબંધ છે .

ઈલોન મસ્કને પોલેન્ડના વિદેશ મંત્રી સાથે થયો ઉગ્ર વિવાદ . આ ઉગ્ર વિવાદ અમેરિકા અને યુરોપ વચ્ચે શું બતાવી રહ્યો છે?