માલધારીઓ Ahmedabad Mayorની ઓફિસનો ઘેરાવો કરશે,ઢોર નિયંત્રણ પોલીસીનો વિરોધ કરશે!


  • Published By :
  • Published Date : 2023-11-28 09:45:01

રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે. અનેક લોકો રખડતા ઢોરની અડફેટે આવી ઘાયલ થતા હોય છે અથવા તો મોતને ભેટતા હોય છે. હાઈકોર્ટ રખડતા ઢોર મામલે એકદમ કડક દેખાઈ રહી છે. રખડતાં ઢોરની સમસ્યાને લઈ ગુજરાત હાઇકોર્ટ દ્વારા કોર્પોરેશન અને પોલીસતંત્રની ઝાટકણી અવારનવાર કાઢવામાં આવે છે. ત્યારે હવે માલધારીઓ ગૌચરની જમીન મામલે આંદોલન પર ઊતરી આવ્યા છે. માલધારી એકતા સમિતિના પ્રમુખ નાગજી દેસાઈએ હવે અમદાવાદ મેયર ઓફિસનો ઘેરાવો કરવાની ચીમકી આપી છે. 

મેયરની ઓફિસમાં હજારો પશુપાલકો એકત્ર થશે!

 હાઈકોર્ટની અનેક ફટકાર બાદ તંત્ર એક્ટિવ મોડમાં દેખાયું હતું. રખડતા ઢોરથી રાહદારીઓને, વાહનચાલકોને મુક્તિ મળે તે માટે એક્શન પણ લેવાયા. અનેક વખત એવા દ્રશ્યો પણ સામે આવ્યા જેમાં ઢોરને પકડવા ગયેલી ટીમ પર હુમલો કરવામાં આવ્યો. નવી પોલીસીનો વિરોધ માલધારી સમાજના લોકો કરી રહ્યા હતા. ત્યારે માલધારી એકતા સમિતિ અમદાવાદ મેયર ઓફિસનો ઘેરાવો કરી શકે છે કારણ કે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. માલધારીઓનું કહેવું છે અમે વર્ષોથી જ્યાં રહેતા હોઈએ અને પશુપાલનનો વ્યવસાય કરીયે છીએ એ જગ્યાના ટેક્સબિલ અને લાઈટબિલના આધારે અમને લાઇસન્સ-પરમિટ આપવામાં આવે. આધારકાર્ડ, લાઈટબિલ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ બિલમાં જે સરનામું છે, એ જગ્યા પર લાઇસન્સ આપવામાં આવે જેથી ઘર પાસે ઢોર બાંધીને રાખી શકે 


વિજય નહેરાને લઈ માલધારીઓએ કહી આ વાત

અમદાવાદમાં હજારો પશુપાલકો અમદાવાદ મેયરની ઓફિસે એકઠા થશે તેમનું કહેવું છે કે પશુ નોંધણીના નામે પરિવારદીઠ 200 રૂપિયા લેખે જે કરોડો રૂપિયા ઉઘરાવવામાં આવ્યા છે એનો હિસાબ માગવા માટે મંગળવારે સવારે અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ ઓફિસ ખાતે પહોંચીશું. ભૂતપૂર્વ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ પશુ નોંધણીના નામે કરોડો રૂપિયા ઉઘરાવ્યા હતા, એની પહોંચ અમારી પાસે છે. 


માલધારીઓને આપવામાં આવી અંતિમ નોટિસ 

પશુત્રાસ અટકાવ પોલીસી અંતર્ગત માલધારીઓને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે, 1 ડિસેમ્બર સુધીમાં માલધારીએ પોતાના ઢોરનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે તથા ઢોર રાખવા પોતાના ભોગવટાની એટલે કે માલીકીની જમીન હોવી આવશ્યક છે. જે માલધારી પાસે માલીકીની જમીન ન હોય તેઓએ શહેરની હદ છોડી જવાની અંતિમ નોટીસ પણ ગઈકાલે આપવામાં આવતા માલધારીઓ સરકાર પાસે ગૌચર ફાળવવાની માગ કરી રહ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઢોર નિયંત્રણ પોલીસી માટે અંતિમ નોટીસ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. સાથે જ આગામી સપ્તાહથી એટલે કે, 1 ડિસેમ્બરથી રજીસ્ટ્રેશન વગરના પશુઓને પકડીને પશુમાલિક સામે કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી હતી. જેના પ્રતિસાદરૂપે માલધારી સમાજ પણ તંત્ર સામે લડી લેવાના મૂડમાં છે.




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!