માલધારીઓ લડી લેવાના મૂડમાં, અમદાવાદમાં 2જી સપ્ટેમ્બરે યોજાશે રેલી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-31 13:09:19

ગુજરાત હાઈકોર્ટના હુકમથી રાજ્યના મોટા શહેરોમાં રખડતા ઢોર પકડવાની પ્રવૃતી વધી છે અને તેના કારણે માલધારી સમાજમાં ઘણો રોષ છે. રાજ્યમાં પશુપાલન કરી પેટીયું રળતા માલધારી સમાજના પશુધનને પાંજરે પુરવાના વિરોધમાં અમદાવાદમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. માલધારી મહાપંચાયત દ્વારા આ વિશાળ રેલી યોજવામાં આવશે. આ રેલીમાં જોડાવા માટે સમાજના અગ્રણી નેતાઓએ લોકોને આહવાન કર્યું છે.


ક્યારે યોજાશે રેલી?


માલધારી મહાપંચાયતે અમદાવાદમાં મહારેલીનું આયોજન કરાયું છે. 2જી સપ્ટેમ્બરના રોજ માલધારી વેદના રેલી યોજાશે. બાપુનગરના ભીડભંજન હનુમાનથી ભદ્રકાળી મંદિર સુધી રેલી યોજાશે. માલધારીઓના રખડતાં ઢોર પકડવાના વિરોધામાં આ રેલી યોજાશે. આ વિશાળ રેલીમાં મોટી સંખ્યામાં માલધારીઓ જોડાશે.



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.