માલધારીઓ લડી લેવાના મૂડમાં, અમદાવાદમાં 2જી સપ્ટેમ્બરે યોજાશે રેલી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-31 13:09:19

ગુજરાત હાઈકોર્ટના હુકમથી રાજ્યના મોટા શહેરોમાં રખડતા ઢોર પકડવાની પ્રવૃતી વધી છે અને તેના કારણે માલધારી સમાજમાં ઘણો રોષ છે. રાજ્યમાં પશુપાલન કરી પેટીયું રળતા માલધારી સમાજના પશુધનને પાંજરે પુરવાના વિરોધમાં અમદાવાદમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. માલધારી મહાપંચાયત દ્વારા આ વિશાળ રેલી યોજવામાં આવશે. આ રેલીમાં જોડાવા માટે સમાજના અગ્રણી નેતાઓએ લોકોને આહવાન કર્યું છે.


ક્યારે યોજાશે રેલી?


માલધારી મહાપંચાયતે અમદાવાદમાં મહારેલીનું આયોજન કરાયું છે. 2જી સપ્ટેમ્બરના રોજ માલધારી વેદના રેલી યોજાશે. બાપુનગરના ભીડભંજન હનુમાનથી ભદ્રકાળી મંદિર સુધી રેલી યોજાશે. માલધારીઓના રખડતાં ઢોર પકડવાના વિરોધામાં આ રેલી યોજાશે. આ વિશાળ રેલીમાં મોટી સંખ્યામાં માલધારીઓ જોડાશે.



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.