માલધારીઓ લડી લેવાના મૂડમાં, અમદાવાદમાં 2જી સપ્ટેમ્બરે યોજાશે રેલી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-31 13:09:19

ગુજરાત હાઈકોર્ટના હુકમથી રાજ્યના મોટા શહેરોમાં રખડતા ઢોર પકડવાની પ્રવૃતી વધી છે અને તેના કારણે માલધારી સમાજમાં ઘણો રોષ છે. રાજ્યમાં પશુપાલન કરી પેટીયું રળતા માલધારી સમાજના પશુધનને પાંજરે પુરવાના વિરોધમાં અમદાવાદમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. માલધારી મહાપંચાયત દ્વારા આ વિશાળ રેલી યોજવામાં આવશે. આ રેલીમાં જોડાવા માટે સમાજના અગ્રણી નેતાઓએ લોકોને આહવાન કર્યું છે.


ક્યારે યોજાશે રેલી?


માલધારી મહાપંચાયતે અમદાવાદમાં મહારેલીનું આયોજન કરાયું છે. 2જી સપ્ટેમ્બરના રોજ માલધારી વેદના રેલી યોજાશે. બાપુનગરના ભીડભંજન હનુમાનથી ભદ્રકાળી મંદિર સુધી રેલી યોજાશે. માલધારીઓના રખડતાં ઢોર પકડવાના વિરોધામાં આ રેલી યોજાશે. આ વિશાળ રેલીમાં મોટી સંખ્યામાં માલધારીઓ જોડાશે.



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.