માગોનો સ્વીકાર નહીં થતાં ગુજરાતના માલધારીઓને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા ફતવો


  • Published By :
  • Published Date : 2022-11-22 17:38:18

ચૂંટણી અગાઉ માલધારી સમાજે ભાજપ સામે મોરચો ખોલ્યો હતો તેવી રીતે અત્યારે ગુજરાત માલધારી મહાપંચાયતે ભાજપ સામે ફતવો બહાર પાડ્યો છે. ગુજરાતના માલધારીઓને ફતવામાં જણાવવામાં આવ્યું છે કે ભાજપને અનેકવાર રજૂઆતો કર્યા બાદ પણ માલધારીઓના પડતર પ્રશ્નોનો નિકાલ લાવવામાં નિષ્ફળ ગઈ છે માટે સમાજને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા અપીલ કરાઈ છે. 

જો માલધારી સમાજનો ઉમેદવાર હોય તો મત આપો બાકી ના આપો

આ પરિપત્રમાં વિચિત્ર નિર્ણય પણ લીધો છે કે ગુજરાતમાં ભલે ભાજપ સામે મતદાન કરે પણ જ્યાં માલધારી સમાજના ઉમેદવારો છે ત્યાં મત આપવાનો નિર્ણય માલધારી સમાજના લોકો જ કરશે. ચૂંટણી જીત્યા બાદ માલધારી સમાજના ધારાસભ્યએ પણ સમાજ સાથે રહેવા વિનંદી કરાઈ છે. 


શું છે માલધારી સમાજની માગણી?

  • ગીર, બરડા અને આલેચના પ્રશ્નોનો ન થયો નિકાલ 
  • માલધારી વસાહતો ન બનાવી જેથી લોકો અકસ્માતોના ભોગ બન્યા 
  • માલધારી સમાજને ખેડૂત બનવાનો હક ના આપ્યો 
  • દૂધની ડેરીઓમાંથી માલધારી સમાજનો એકડોકાઢી નાખ્યો 
  • માલધારી સમાજના પશુપાલકો પર ખોટા કેસ કરી જેલમાં પૂર્યાં 
  • 70 લાખથી વધુ માલધારીઓને બેરોજગાર બનાવવામાં ગુજરાત સરકાર અગ્રેસર

ગુજરાતમાં અગાઉ પણ માલધારી સમાજનું ગાંધીનગરના શેરથા ગામ ખાતે ભાજપ વિરોધી સંમેલન મળ્યું હતું જેમાં ગુજરાતના વિવિધ વિસ્તારોથી માલધારી લોકો પહોંચ્યા હતા. ભાજપે આ સંમેલન મામલે નિવેદન આપ્યું હતું કે આ સંમેલન કોંગ્રેસ સમર્થિત છે જ્યારે માલધારી સમાજે આ સંમેલનને ગુજરાતના 61 લાખ માલધારીઓની એકતા જણાવી હતી. ત્યાર બાદ ચૂંટણીનો સમય હોવાના કારણે ગુજરાત સરકારે પોતાનો નિર્ણય પાછો ખેંચ્યો હતો. આજે ફરીવાર માલધારી સમાજના લોકોએ ચૂંટણી સમયે ભાજપ વિરુદ્ધ મત આપવાનો ફતવો બહાર પાડ્યો છે ત્યારે ભાજપ આ વિરોધને કેવી રીતે શાંત પાડશે તે જોવાનું રહેશે. 






21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.