માલધારીઓ લડતના માર્ગે, 11 મુદ્દાની માંગણી સાથે દુધ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 15:17:14

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કર્મચારી સંગઠનોની સાથે-સાથે વિવિધ જાતિ સંગઠનોએ પણ સરકારની ચિંતા વધારી છે. માલધારી સમાજે વિવિધ માગણીઓને લઈને 21મી સપ્ટેમ્બરે ગુજરાતમાં દુધ હડતાળની જાહેરાત કરી છે. સમાજે જાહેર કર્યું છે કે એ દિવસે કોઈ માલધારી ડેરીમાં કે કોઈના ઘરે દૂધ આપવા નહીં જાય. માલધારી સમાજનું માનવું છે કે ગુજરાત સરકારે માલધારી સમાજ પર ધ્યાન આપ્યું નથી.


માલધારી મહાપંચાયત હવે લડી લેવાના મૂડમાં


માલધારી સમાજનાં વિવિધ પ્રશ્નો અંગે ગુજરાત સરકાર કોઈ નક્કર પરિણામ લાવી શકી નથી. આ કારણે ગુજરાત માલધારી મહાપંચાયત હવે લડી લેવાના મૂડમાં છે. ગુજરાત માલધારી મહાપંચાયતનાં પ્રવક્તા નાગજીભાઈ દેસાઈએ જણાવ્યું કે  માલધારીઓની ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. તેમજ નિર્દોષ રાહદારીઓને નાના મોટા અકસ્માતોનો ભોગ બનવું પડે છે. ગુજરાત સરકાર ગુજરાત હાઈકોર્ટમાં ખોટા એફીડેવીટો કરીને ગુજરાત હાઈકોર્ટને ગેરમાર્ગે દોરે છે. દિન પ્રતિદીન ગામડાઓને શહેરોમાં ભેળવીને પશુપાલનનાં વ્યવસાય સાથે સંકળાયેલા પશુપાલકોને પાયમાલ કરવાનું બીલ ઢોર અંકુશ નિયંત્રણ ગુજરાત વિધાનસભામાં લાવવામાં આવ્યું. આ બીલ પ્રજાનાં હિત માટે નહીં પરંતુ 8 મહાનગર પાલિકા અને 156 નગરપાલિકાની ગૌચરની સરકારી પડતર જમીન માનીતા ઉદ્યોગપતિઓને હેતુફેર કરીને જમીનો પધરાવી દેવાનું આ બીલ છે. તેમજ કુલ 11 મુદ્દાઓ માલધારીઓએ માંગણી સાથે ગુજરાત સરકારને આપ્યું છે.


21મીએ એક દિવસની દુધની હડતાળ 


માલધારી સમાજે આકરૂ વલણ અપનાવતા 21મીએ ગુજરાતભરની દુધ ડેરીઓમાં તેમજ ઘરે ઘરે દુધ આપવા નહીં જાય તેવી એક દિવસની દુધની હડતાળ જાહેર કરી છે. સાથે સાથે સમગ્ર માલધારી સમાજને સુચના આપવામાં આવી છે કે દુધનાં ખાનગી વાહનોને કનડગત કે નુકશાન ન થાય તે પણ કાળજી લેવી. સામાન્ય પ્રજાને પણ કોઈક પ્રકારે હેરાનગતિ ન થાય તેની કાળજી લેવા સુચના આપવામાં આવી છે. માલધારીઓએ સરકારને પણ વિનંતી કરી છે કે માલધારીઓ સાથે દુધ બાબતે કોઈપણ પ્રકારની બળજબરી કરવામાં ન આવે. 22મીએ સમગ્ર ગુજરાતનાં માલધારીઓ ગોળનાં લાડુ બનાવીને ગાયોને ખવડાવશે.



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.