Maldhari samajનું આંદોલન ઉગ્ર બન્યું! વિરોધ પ્રદર્શનમાં જોડાઈ મહિલા, કર્યા સરકાર હાય હાયના સૂત્રોચ્ચાર, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-12-18 12:18:46

રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે. હુમલાને કારણે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તો અનેક લોકોના મોત પણ થઈ ગયા છે. રખડતા ઢોરની સમસ્યા એટલી બધી વધી ગઈ હતી કે હાઈકોર્ટે અનેક વખત તંત્રની ઝાટકણી કાઢી. હાઈકોર્ટની અનેક ફટકાર બાદ તંત્ર દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવી. જ્યારથી આ કામગીરી શરૂ છે ત્યારથી માલધારીઓ અને ઢોર પકડવા જતી ટીમ વચ્ચે ઘર્ષણ થતું. તે બાદ અનેક વીડિયો સામે આવ્યા જેમાં ગાયોના મૃતદેહો મળી આવ્યા. માલધારીઓમાં આને લઈ ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. માલધારીઓએ આંદોલન છેડ્યું છે. આ આંદોલનમાં મહિલાઓ આવી છે. વિરોધ પ્રદર્શન કરી રહેલા માલધારીઓમાં મહિલાઓ પણ દેખાઈ રહી છે અને મહિલાઓએ સરકાર હાય હાયના સૂત્રોચ્ચાર કર્યા હતા. 

ગાયોના મૃતદેહ જોઈ માલધારીઓ રોષે ભરાયા! 

એક તરફ ખરાબ રોડ રસ્તાને કારણે વાહનચાલકો પરેશાન છે તો બીજી તરફ રખડતા ઢોરને કારણે વધારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. રખડતા ઢોરના વધતા કેસને જોતા ગુજરાત હાઈકોર્ટ એક્ટિવ મોડમાં આવી ગઈ. ઢોરના ત્રાસથી મુક્તિ મળે તે માટે કડક પગલા લેવા આદેશ કરવામાં આવ્યો. આ બધા વચ્ચે ટીમ જ્યારે રખડતા ઢોરને પકડવા જતી ત્યારે માલધઆરીઓ તેમજ મનપાની ટીમ વચ્ચે ઘર્ષણ થતું. ઢોરવાસમાં રાખેલા પશુઓની સરખી સારસંભાળ નથી રાખવામાં આવતી તેવા આક્ષેપો અનેક વખત કરવામાં આવ્યા, એવા અનેક વીડિયો સામે આવ્યા જેમાં ગાયોના મૃતદેહ જોવા મળતા.


સમગ્ર ગુજરાતમાં આંદોલન કરવાની ઉચ્ચારી ચીમકી!

આ બધા વચ્ચે માલધારી સમાજ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. ઢોરવાસ બહાર માલધારીઓ પ્રદર્શન કરી રહ્યા છે તેવા દ્રશ્યો અનેક વખત સામે  આવ્યા છે. માગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ગાયોની પરિસ્થિતિને જોતા માલધારી સમાજના આગેવાન નાગજી દેસાઈએ ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે જેમાં લખવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતના પશુપાલકો રાજ્યમાં જબરદસ્ત આંદોલન કરશે. માલધારી સમાજ મહારેલીનું આયોજન કરશે. 


મહિલાઓ પણ જોડાઈ વિરોધમાં.... 

એક તરફ માલધારી સમાજના લોકો આંદોલન કરી રહ્યા છે તો તેમની સમર્થનમાં માલધારી સમાજની મહિલાઓ પણ આવી છે. રસ્તા પર ઉતરી મહિલાઓ પણ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. વિરોધમાં ઉતેરલી મહિલાઓએ સરકાર હાય હાયના સૂત્રોચ્ચાર લગાવ્યા છે અને થાળી-ચમચી વગાડી વિરોધ દર્શાવ્યો.   



રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?

ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.