સરકાર સામે વધુ એક આંદોલન, માલધારીઓ અમદાવાદમાં યોજશે મહારેલી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-01 16:19:43

ગુજરાતમાં રખડતા ઢોરનો પ્રશ્ન આજકાલ ખુબ ચર્ચામાં છે. ગુજરાત હાઈકોર્ટે પણ આ મુદ્દે કડક વલણ અખત્યાર કર્યું છે.  હવે જ્યારે એક તરફ વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે સરકાર માટે માલધારી સમાજને પોતાના પડખે રાખવો અનિવાર્ય બન્યું છે. જો કે રાજ્ય સરકાર દ્વારા રોડ પર રખડતા પશુઓને પકડીને પશુઓને ઢોરવાડામાં મોકલવામાં આવી રહ્યા છે. સરકારના આ પગલાથી માલધારી સમાજમાં ઉગ્ર અસંતોષ છે. સરકારની આ કામગીરી સામે માલધારી મહાપંચાયત આવતીકાલે 2 સપ્ટેમ્બરના દિવસે રેલી યોજી વિરોધ પ્રદર્શન કરશે.


કાલે અમદાવાદમાં માલધારી વેદના રેલી


માલધારી સમાજની વેદના રેલી કાલે શુક્રવારે 11 વાગ્યે બાપુનગરના ભીડભંજન હનુમાન મંદિરથી પ્રસ્થાન કરશે અને ભદ્રકાલી મંદિર  પહોંચશે. માલધારી મહા પંચાયતના નેજા હેઠળ યોજાનારી આ વિશાળ રેલીમાં રબારી,ભરવાડ સહિતના બે હજારથી પણ વધુ લોકો ભાગ લે છે. રેલી માટે પોલીસ મંજુરી પણ મળી ગઈ છે. સરકાર સમક્ષ પોતાની વેદના દર્શાવવા માટે આ રેલી શાંત માહોલમાં યોજાશે. 



માલધારીઓની માંગણી શું છે?


માલધારી મહા પંચાયતના પ્રવક્તા નાગજી દેસાઈએ જમાવટ સાથે વાત કરી માલધારીઓની સમસ્યા વર્ણવી હતી. માલધારીઓની સૌથી મોટી ચિંતા અમદાવાદની આસપાસના ગામડાઓને પણ શહેરમાં સમાવવાનો છે. લાંભા, પીપળજ,નિકોલ, રામોલ, વસ્ત્રાલ, સિંગરવા, ઓઠવ, કઠવાડા,બિલાસિયા,ચિલોડા, ગોતા, સહિતના 37 ગામડાઓનો સમાવેશ શહેરમાં થતાં પશુપાલન દ્વારા પેટીયું રળતા આ ગામડાના માલધારીઓ પશુપાલન કરી શકશે નહીં. ગામડાઓનો શહેરમાં ભેળવવાનો પણ માલધારીઓ રેલીમાં વિરોધ કરશે. માલધારીઓ માટે અલગ વસાહતો, માલધારીઓ પર ખોટા પોલીસ કેસ પાછા ખેંચવા, ગૌચરોની જમીનો ગળી જવાનો કાળો કાયદો રદ્દ કરવા સહિતની  માલધારીઓની માગણી છે.




દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.