સરકાર સામે વધુ એક આંદોલન, માલધારીઓ અમદાવાદમાં યોજશે મહારેલી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-01 16:19:43

ગુજરાતમાં રખડતા ઢોરનો પ્રશ્ન આજકાલ ખુબ ચર્ચામાં છે. ગુજરાત હાઈકોર્ટે પણ આ મુદ્દે કડક વલણ અખત્યાર કર્યું છે.  હવે જ્યારે એક તરફ વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે સરકાર માટે માલધારી સમાજને પોતાના પડખે રાખવો અનિવાર્ય બન્યું છે. જો કે રાજ્ય સરકાર દ્વારા રોડ પર રખડતા પશુઓને પકડીને પશુઓને ઢોરવાડામાં મોકલવામાં આવી રહ્યા છે. સરકારના આ પગલાથી માલધારી સમાજમાં ઉગ્ર અસંતોષ છે. સરકારની આ કામગીરી સામે માલધારી મહાપંચાયત આવતીકાલે 2 સપ્ટેમ્બરના દિવસે રેલી યોજી વિરોધ પ્રદર્શન કરશે.


કાલે અમદાવાદમાં માલધારી વેદના રેલી


માલધારી સમાજની વેદના રેલી કાલે શુક્રવારે 11 વાગ્યે બાપુનગરના ભીડભંજન હનુમાન મંદિરથી પ્રસ્થાન કરશે અને ભદ્રકાલી મંદિર  પહોંચશે. માલધારી મહા પંચાયતના નેજા હેઠળ યોજાનારી આ વિશાળ રેલીમાં રબારી,ભરવાડ સહિતના બે હજારથી પણ વધુ લોકો ભાગ લે છે. રેલી માટે પોલીસ મંજુરી પણ મળી ગઈ છે. સરકાર સમક્ષ પોતાની વેદના દર્શાવવા માટે આ રેલી શાંત માહોલમાં યોજાશે. 



માલધારીઓની માંગણી શું છે?


માલધારી મહા પંચાયતના પ્રવક્તા નાગજી દેસાઈએ જમાવટ સાથે વાત કરી માલધારીઓની સમસ્યા વર્ણવી હતી. માલધારીઓની સૌથી મોટી ચિંતા અમદાવાદની આસપાસના ગામડાઓને પણ શહેરમાં સમાવવાનો છે. લાંભા, પીપળજ,નિકોલ, રામોલ, વસ્ત્રાલ, સિંગરવા, ઓઠવ, કઠવાડા,બિલાસિયા,ચિલોડા, ગોતા, સહિતના 37 ગામડાઓનો સમાવેશ શહેરમાં થતાં પશુપાલન દ્વારા પેટીયું રળતા આ ગામડાના માલધારીઓ પશુપાલન કરી શકશે નહીં. ગામડાઓનો શહેરમાં ભેળવવાનો પણ માલધારીઓ રેલીમાં વિરોધ કરશે. માલધારીઓ માટે અલગ વસાહતો, માલધારીઓ પર ખોટા પોલીસ કેસ પાછા ખેંચવા, ગૌચરોની જમીનો ગળી જવાનો કાળો કાયદો રદ્દ કરવા સહિતની  માલધારીઓની માગણી છે.




અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.