સરકાર સામે વધુ એક આંદોલન, માલધારીઓ અમદાવાદમાં યોજશે મહારેલી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-01 16:19:43

ગુજરાતમાં રખડતા ઢોરનો પ્રશ્ન આજકાલ ખુબ ચર્ચામાં છે. ગુજરાત હાઈકોર્ટે પણ આ મુદ્દે કડક વલણ અખત્યાર કર્યું છે.  હવે જ્યારે એક તરફ વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે સરકાર માટે માલધારી સમાજને પોતાના પડખે રાખવો અનિવાર્ય બન્યું છે. જો કે રાજ્ય સરકાર દ્વારા રોડ પર રખડતા પશુઓને પકડીને પશુઓને ઢોરવાડામાં મોકલવામાં આવી રહ્યા છે. સરકારના આ પગલાથી માલધારી સમાજમાં ઉગ્ર અસંતોષ છે. સરકારની આ કામગીરી સામે માલધારી મહાપંચાયત આવતીકાલે 2 સપ્ટેમ્બરના દિવસે રેલી યોજી વિરોધ પ્રદર્શન કરશે.


કાલે અમદાવાદમાં માલધારી વેદના રેલી


માલધારી સમાજની વેદના રેલી કાલે શુક્રવારે 11 વાગ્યે બાપુનગરના ભીડભંજન હનુમાન મંદિરથી પ્રસ્થાન કરશે અને ભદ્રકાલી મંદિર  પહોંચશે. માલધારી મહા પંચાયતના નેજા હેઠળ યોજાનારી આ વિશાળ રેલીમાં રબારી,ભરવાડ સહિતના બે હજારથી પણ વધુ લોકો ભાગ લે છે. રેલી માટે પોલીસ મંજુરી પણ મળી ગઈ છે. સરકાર સમક્ષ પોતાની વેદના દર્શાવવા માટે આ રેલી શાંત માહોલમાં યોજાશે. 



માલધારીઓની માંગણી શું છે?


માલધારી મહા પંચાયતના પ્રવક્તા નાગજી દેસાઈએ જમાવટ સાથે વાત કરી માલધારીઓની સમસ્યા વર્ણવી હતી. માલધારીઓની સૌથી મોટી ચિંતા અમદાવાદની આસપાસના ગામડાઓને પણ શહેરમાં સમાવવાનો છે. લાંભા, પીપળજ,નિકોલ, રામોલ, વસ્ત્રાલ, સિંગરવા, ઓઠવ, કઠવાડા,બિલાસિયા,ચિલોડા, ગોતા, સહિતના 37 ગામડાઓનો સમાવેશ શહેરમાં થતાં પશુપાલન દ્વારા પેટીયું રળતા આ ગામડાના માલધારીઓ પશુપાલન કરી શકશે નહીં. ગામડાઓનો શહેરમાં ભેળવવાનો પણ માલધારીઓ રેલીમાં વિરોધ કરશે. માલધારીઓ માટે અલગ વસાહતો, માલધારીઓ પર ખોટા પોલીસ કેસ પાછા ખેંચવા, ગૌચરોની જમીનો ગળી જવાનો કાળો કાયદો રદ્દ કરવા સહિતની  માલધારીઓની માગણી છે.




નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.