રાજકોટ અગ્નિકાંડ મામલે સામે આવી મોટી અપડેટ, SITએ 100 પાનાનો રિપોર્ટ સરકારને સોંપ્યો, પ્રતિક્રિયા આપતા સુભાષ ત્રિવેદીએ કહ્યું કે....


  • Published By :
  • Published Date : 2024-06-21 18:34:48

ગુજરાતના રાજકોટમાં થોડા સમય પહેલા ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડ સર્જાયો હતો. આ ગેમઝોનમાં 28 નિર્દોષ લોકોના મોત થઈ ગયા.. આ ઘટનાને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ આવ્યા હતા. આ ઘટનાની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. ઘટનાને લઈ અનેક વાતો સામે આવી જેને લઈ અનેક સવાલો થયા. આ મામલે તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી.. એસઆઈટી પર પણ અનેક સવાલો થયા છે. આ બધા વચ્ચે SIT દ્વારા 100 પાનાનો રિપોર્ટ સરકારને સોંપવામાં આવ્યો છે.




નાની નાની માછલીઓ પકડાઈ જાય છે પરંતુ... 

આપણે ત્યાં અનેક મોટી દુર્ઘટનાઓ સર્જાઈ છે, અનેક લોકોના મોત દુર્ઘટનામાં થયા છે. દુર્ઘટના કેવી રીતે થઈ તેની તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવતી હોય છે.. વર્ષો સુધી તેની તપાસ થાય છે, પરંતુ અંતે યોગ્ય કાર્યવાહી નથી કરવામાં આવતી તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. પીડિત પરિવારને ન્યાય નથી મળતો.. કાર્યવાહીના રૂપમાં નાની માછલીઓને પકડવામાં આવે છે પરંતુ મોટા માછલા રહી જાય છે.. 




એસઆઈટીએ સરકારને સોંપ્યો 100 પાનાનો રિપોર્ટ 

રાજકોટ ગેમઝોનમાં બનેલી દુર્ઘટનાને પગલે તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે પરંતુ તેની કાર્યવાહી પર પણ સવાલ થઈ રહ્યા છે. આ મામલે હાઈકોર્ટ દ્વારા પણ કડક વલણ અપનાવવામાં આવ્યું છે. જ્યારે જ્યારે આ મામલે સુનાવણી થઈ છે ત્યારે ત્યારે સરકારની ઝાટકણી કાઢવામાં આવી છે કોર્ટ દ્વારા. સુભાષ ત્રિવેદી આ એસઆઈટીના વડા છે. એસઆઈટી દ્વારા 100 પાનાનો રિપોર્ટ સરકારને સોંપવામાં આવ્યો છે. SITના સભ્યોએ ગૃહ રાજ્યમંત્રી સાથે પણ બેઠક કરી હતી. 



શું કહ્યું એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીએ? 

આ બેઠક બાદ સુભાષ ત્રિવેદી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે આ ઘટના કેવી રીતે બની, શું કારણો છે, સરકારના કયા વિભાગો સંકળાયેલા છે, તેમાં કયા અધિકારીનો શું રોલ રહેલો છે, ક્યાં ચૂક થઇ છે, આવા બનાવો અટકાવવા માટે આપણે શું કરી શકીએ, જવાબદારો સામે પગલા લેવા માટે જવબાદારી નક્કી કરવા માટે સરકારે સૂચના આપી હતી. જેના આધારે અમારી કમિટીએ રાત દિવસ મહેનત કરી તપાસ કરી છે.



કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યું છે રાજકોટ બંધનું એલાન 

મહત્વનું છે કે રાજકોટ દુર્ઘટનાને લઈ વિપક્ષ લડી લેવાના મૂડમાં છે.. પીડિત પરિવારને ન્યાય અપાવા માટે વિપક્ષ મેદાને આવ્યો છે. થોડા દિવસ પહેલા વિપક્ષ દ્વારા રાજકોટ પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવો કર્યો હતો.. પીડિત પરિવારની સાથે કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ પણ  હાજર રહ્યા હતા. તે બાદ અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે પણ પીડિત પરિવાર ન્યાયની આશા સાથે બાપુના શરણે આવ્યો હતો. 25 જૂને કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે. બધાની નજર એ પર રહેલી છે કે આ વખતે પીડિત પરિવારને ન્યાય મળે છે કે માત્ર નામ પૂરતી કાર્યવાહી કરવામાં આવે છે તેમાં?    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે