પાકિસ્તાનના ખૈબર પૂખ્તૂન્ખ્વામાં મોટો આત્મઘાતી હુમલો, 24 સૈનિકોના મોત, 4 આતંકી ઠાર


  • Published By :
  • Published Date : 2023-12-12 16:11:29

ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં મંગળવારે એક મોટો આતંકવાદી હુમલો થયો છે. ડેરા ઈસ્માઈલ જિલ્લાના દારાબા વિસ્તારમાં આત્મઘાતી હુમલામાં હુમલો થયો હતો. વિસ્ફોટકોથી ભરેલી કાર એક ઈમારત સાથે ટકરાવી દેતા બે ડઝનથી વધુ પાકિસ્તાન આર્મીના જવાનોના મોત થયા હતા. જ્યારે 34 જવાનો ઘાયલ થયા હતા. ડેરા ઈસ્માઈલ તહેરીક એ જેહાદ પાકિસ્તાન (TJP)આતંકીઓનો ગઢ છે, આ જિલ્લો ખૈબર પૂખ્તૂન્ખ્વાની નજીક છે.


4 આતંકી થયા ઠાર


આતંકીઓએ એક પોલીસ સ્ટેશન અને આર્મી બેઝને નિશાન બનાવ્યા હતા, આ હુમલામાં 24 જવાનો મારા ગયા છે. સુરક્ષા દળોએ ફાયરિંગ દરમિયાન 4 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આતંકવાદીઓ આર્મી યુનિફોર્મમાં આવ્યા હતા. 


TJPએ કરાવ્યા હતા હુમલા


આ હુમલાની જવાબદારી તહેરીક એ જેહાદ પાકિસ્તાન(TJP)એ લીધી છે. આ સંગઠનના પ્રવકતા મુલ્લા મોહમ્મદ કાસિમે હુમલાની જવાબદારી લીધી હતી, પાકિસ્તાનમાં કેટલાક મોટા હુમલા પાછળ આ જેહાદી સંગઠનનો હાથ રહ્યો છે. આ પ્રાંતમાં થયેલા વિવિધ આતંકી હુમલામાં 470 સુરક્ષાકર્મી અને નાગરિકોના મોત નિપજ્યા છે. ખૈબર પૂખ્તૂન્ખ્વામાં છેલ્લા એક વર્ષમાં 1050 આતંકી ઘટનાઓ થઈ છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે