મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર મોટી દુર્ઘટના, કારની ટક્કરથી પાંચના મોત, ત્રણ ઘાયલ


  • Published By :
  • Published Date : 2022-11-18 13:52:42

મહારાષ્ટ્રમાં આજે સવારે એક મોટો અકસ્માત થયો છે. અહીંના ખોપોલી વિસ્તારમાં મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર એક કારે બીજા વાહનને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા અને ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે ટક્કર એટલી જોરદાર હતી કે કારના ફુરચા ઉડી ગયા હતા. અકસ્માતમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એકનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ મોત થયું હતું. ઘાયલ લોકોને એમજીએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

5 killed as car hits another vehicle on Mumbai-Pune Expressway

આ અકસ્માત ગુરુવારે મધ્યરાત્રિની આસપાસ ઠેકુ ગામ નજીક થયો હતો. કાર પુણેથી મુંબઈ જઈ રહી હતી. જ્યારે તેણે 12 વાગ્યાની આસપાસ પાછળથી ટ્રકને ટક્કર મારી હતી. કારમાં નવ લોકો સવાર હતા. ચાર લોકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિએ હોસ્પિટલમાં લઈ જતા રસ્તામાં જ દમ તોડ્યો હતો.


ખોપોલી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે તમામ મૃતકો પુરુષો હતા, જ્યારે ચાર ઘાયલોમાં એક મહિલા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કારના ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે કાર ટ્રક સાથે અથડાઈ હતી. પોલીસે જણાવ્યું કે કાર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.