ભારતનું કફ સિરપ બાળકોના મૃત્યુનું કારણ નથી બન્યું? ગામ્બિયા સરકારે કરી સ્પષ્ટતા


  • Published By :
  • Published Date : 2022-11-02 21:40:30


ભારતીય ફાર્મા કંપનીના કફ સિરપથી 66 બાળકોના મોત થયા તે મુદ્દે ગામ્બિયાની મેડિસિન્સ કંટ્રોલ એજન્સીએ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે ભારતીય કંપનીના કફ સિરપથી બાળકોના મોત થયા હોવાની હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી. આ પછી મેઇડન ફાર્માએ પણ નિવેદન જાહેર કર્યું છે.


ભારતીય કંપની મેઇડન ફાર્માએ નિવેદન જારી કર્યું


મેઇડન ફાર્માએ પણ એક સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યું છે કે ધ ગામ્બિયાએ હજુ સુધી બાળકોના મૃત્યુનું કારણ શું હતું તેની પુષ્ટિ કરી નથી. WHO દ્વારા મેઇડન ફાર્મા કંપનીના ત્રણ કફ સિરપ અંગે એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ જ કંપનીના કફ સિરપને કારણે ગામ્બિયામાં 66 બાળકોના મોત થયા હતા. જોકે, હવે ગામ્બિયાની મેડિસિન્સ કંટ્રોલ એજન્સીએ કહ્યું છે કે કફ સિરપથી બાળકોમાં કિડનીને નુકસાન થયું હોવાની પુષ્ટિ થઈ નથી. 


મેઇડન ફાર્માએ ઘણી બધી બાબતો જણાવી છે. કંપનીએ કહ્યું કે તે સ્થાનિક બજારમાં કંઈ પણ વેચી રહી નથી. આ સિવાય તે તેનો કાચો માલ પ્રમાણિત અને પ્રતિષ્ઠિત કંપનીઓ પાસેથી જ ખરીદે છે. કંપનીએ કહ્યું કે સીડીએસસીઓના અધિકારીઓએ પ્લાન્ટની મુલાકાત લીધી હતી અને ટેસ્ટ માટે દવાઓના સેમ્પલ એકત્ર કર્યા હતા. કંપની તપાસના રિપોર્ટની રાહ જોઈ રહી છે.


સમગ્ર મામલો શું હતો 


વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યુ હતું કે, તે મેડ ઇન ઇન્ડિયા કફ સીરપની તપાસ કરી રહ્યુ છે. આ કફ સીરપ પીવાથી ગામ્બિયામાં 66 બાળકોના મોત નીપજ્યા છે. એવું કહેવાઈ રહ્યુ છે કે, ભારતની મેડેન ફાર્માસ્યૂટિકલ્સ કંપનીએ ચાર કફ એન્ડ કોલ્ડ સીરપ બનાવ્યા હતા. તેનાથી જ આ મોત થઈ છે.WHOએ ટ્વીટ કર્યુ હતુ કે, WHOએ મેડિકલ પ્રોડક્ટને લઈને એલર્ટ જાહેર કર્યુ હતું. આ એલર્ટ ગામ્બિયામાંથી મળેલી 4 દૂષિત દવાઓને લઈને જાહેર કરવામાં આવ્યું હતુ. તેનો સંબંધ કિડનીની ગંભીર બીમારી અને 66 બાળકોના મોત સાથે હોય. યુવાન જીવનું મોત થું તે તેમના પરિવાર પર આભ ફાટ્યાં જેવું છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.