Mahisagar : કેનાલમાંથી પાણી છોડાતા, ખેતરમાં ઘૂસી ગયા પાણી! શિયાળું પાકને પહોંચ્યું નુકસાન, જુઓ દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2023-12-18 15:46:57

ભારતને કૃષિ પ્રધાન દેશ કહેવામાં આવે છે. દેશના અર્થતંત્રમાં મોટો ભાગ ભજવાનારા ખેડૂતોના નસીબમાં જાણે રડવાનું જ લખાયું છે. કોઈ વખત કુદરતનો માર ખેડૂતોને સહન કરવો પડે છે તો કોઈ વખત કોઈની બેદરકારીને કારણે ખેડૂતોને રડવાનો વારો આવે છે. એક તરફ ખેડૂતો ડુંગળીના નિકાસ પર લગાવવામાં આવેલા પ્રતિબંધનો વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ મહીસાગરથી એવા દ્રશ્યો સામે આવ્યા જેને કારણે ખેડૂતોને વધારે મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે. કેનાલમાં ક્ષમતા કરતા વધારે પાણી છોડવામાં આવતા તે પાણી ખેતરમાં ઘૂસી ગયા છે અને પાકને મોટા પાયે નુકસાન થયું છે.     

પોષણસમા ભાવ ન મળતા ખેડૂતોને આવે છે રડવાનો વારો 

ખેડૂતોને આપણે જગતના તાત કહીએ છીએ. જગતના તાતની હાલત પ્રતિદિન કફોડી બની રહી છે. અનેક વખત વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવે છે. કોઈ વખત વરસાદ નથી પડતો તો ખેડૂતો ચિંતામાં મૂકાય છે તો કોઈ વખત વધારે વરસાદ પડે છે માટે ખેડૂતોને રડવાનો વારો આવે છે. કોઈ વખત કમોસમી વરસાદ થતો હોય છે તો પાકને નુકસાન થતું હોય છે તો કોઈ વખત પાકના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો છે. આ બધા વચ્ચે મહીસાગરથી વીડિયો સામે આવ્યો છે જેમાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. 


કેનાલનું પાણી ખેતરમાં ફરી વળ્યું!

કેનાલમાં જો પાણીનો જથ્થો વધારે થઈ જાય છે તો તે પાણીના જથ્થાને છોડવામાં આવે છે. પાકને આમ તો પાણીની જરૂરત હોય પરંતુ જ્યારે હોય ત્યારે. મહીસાગરથી એક વીડિયો સામે આવ્યો છે જે ખાનપુર તાલુકાનો છે. જમણા કાંઠા કેનાલનું પાણી છોડવામાં આવતા તે પાણી 3 ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું. કેનાલનું પાણી ખેતરોમાં ઘૂસી જવાથી શિયાળા પાકને મોટા પાયે નુકસાન થયું છે. સિંચાઈ વિભાગ દ્વારા માગ કરવામાં આવી રહી છે પાણી બંધ કરવામાં આવે.  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!