Mahisagar : ગાડીમાં કેશ લઈને નિકળેલા ICICI બેન્કના મેનેજરની કરાઈ હત્યા! ગાડી સળગાવી અને પછી ગોળી મારી, કિલોમીટર દૂરથી મળ્યો મૃતદેહ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-05 10:45:14

મહીસાગરના સંતરામપુરથી જે ઘટના સામે આવી છે તે હચમચાવી દે તેવી છે. ગઈકાલે લુણાવાડા સંતરામપુર રોડ ઉપર એક ગાડી બળેલી હાલતમાં મળી આવી હતી. સળગેલી ગાડીની જાણ પોલીસને કરવામાં આવી. પોલીસે આવીને તપાસ શરૂ કરી ત્યારે જાણવા મળ્યું કે આ ગાડી આઈસીઆઈસીઆઈ બેન્ક મેનેજર વિશાલ પાટીલની છે.  બાલાસિનોરના ICICI બેંકના મેનેજર વિશાલ પાટીલ પોતાની સાથે 1.18 કરોડ રૂપિયા લઈને કારમાં નીકળ્યા હતા. ગાડીમાં ન તો કેશના અવશેશો મળ્યા ન તો મૃતદેહના. આ મામલે પોલીસે મેનેજરના મૃતદેહને શોધવાની તજવીજ હાથ ધરી. મેનેજરની લાશ ઘટના સ્થળથી 20 કિમી દૂર ડાયાપુર ગામેથી મળી આવી. ગોળી મારીને મેનેજરની હત્યા કરવામાં આવી છે. 



સળગેલી હાલતમાં ગાડી મળી આવતા પોલીસે આરંભી હતી તપાસ   

સંતરામપુર તાલુકાના સરસણ આઉટ પોસ્ટના ગોધર ગમ નજીક આવેલા મેઈન રોડ પર એક ગાડી સગળેલી હાલતમાં જોવા મળી હતી. આ સળગેલી ગાડી ICICI બેન્કના મેનેજરની હોય તેવી માહિતી સામે આવી હતી. મેનેજર પોતાની સાથે કરોડો રૂપિયા લઈને નિકળ્યા હતા તેવી પણ વાત સામે આવી હતી. આ મામલાની જાણ પોલીસને કરવામાં આવી અને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળ પર પહોંચી તપાસ આરંભી હતી. સળગેલી ગાડીમાં મૃતદેહના કોઈ અવશેશો મળ્યા ન હતા. પોલીસે ગાડીની વિગતો ઉપરથી આ ગાડી મેનેજરની છે તેવી જાણકારી પ્રાપ્ત કરી લીધી અને મેનેજરને શોધવાની તજવીજ હાથ ધરી. મેનેજનર વિશાલ પાટીલ ક્યાં છે તેની જાણકારી પોલીસ પાસે ન હતી. 


અનેક કિલોમીટર દૂરથી મળી આવ્યો મેનેજરનો મૃતદેહ 

પોલીસે આ અંગે આગળ તપાસ હાથ ધરી અને આ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે વિશાલ પોતાની સાથે એક કરોડથી વધુ રકમ લઈ દાહોહની બ્રાન્ચમાં જમા કરાવા જઈ રહ્યા હતા. ફોન નંબરના આધારે બેન્ક મેનેજરને શોધવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી. પોલીસે ફોનને ટ્રેક કર્યો. અને ઘટના સ્થળથી અનેક કિલોમીટર દૂર બેન્ક મેનેજરનો ફોન ટ્રેક થયો. આ બાદ પોલીસ ત્યાં પહોંચી તો ફોનની સાથે મેનેજર વિશાલનો મૃતદેહ પણ મળી આવ્યો હતો.  

(આરોપીનો ફોટો)

આરોપીએ મેનેજરને મારી હતી ગોળી!

પોલીસ અધિકારીઓ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી. ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. આ ઘટનામાં મહત્વની વાત એ છે કે બેન્ક મેનેજરનું મોત ગોળી મારીને કરવામાં આવ્યું છે. પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં આરોપીને શોધી કાઢ્યો છે અને તેની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. મહીસાગર પોલીસે આરોપી પાસેથી દેશી કટ્ટા સહિત કેશ પર રિકવર કરી લીધી છે. પોલીસ આ મામલે આરોપીની પૂછપરછ કરી રહી છે અને એવી પણ માહિતી સામે આવી છે કે આરોપીની ધરપકડ કરી લેવામાં  આવી છે. 



આપણે કહીએ છીએ કે કર્મ કોઈને છોડતું નથી.. કરેલા કર્મનો હિસાબ ક્યારેય તો ચૂકવવો પડે છે.. જેટલી ચાદર હોય તેટલા જ પગ લાંબા કરવા જોઈએ.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે હિસાબ કર્મની રચના

20 તારીખે ક્ષત્રિય મહાસંમેલન યોજાવાનું છે જેમાં સમાજના લોકો અને રાજવી પરિવાર હાજર રહેવાના છે. પણ એ મહાસંમેલન પહેલા જ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે અસ્મિતા મહાસંમેલનને લઈને એક મેસેજ લખ્યો, એક પત્ર લખ્યો છે.

દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.