મહીસાગરમાં જાનૈયાઓથી ભરેલો ટેમ્પો ખાઇમાં ખાબકતા 9 લોકોના મોત અને 14થી વધારે લોકો ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-02-22 15:10:19

રાજ્યમાં ફરી એક વખત ગમખ્વાર અકસ્માતની ઘટનામાં 9 લોકોના મોત થયા છે. મહીસાગરના લુણાવાડા તાલુકાના અરીઠા ગામ નજીક જાનૈયાઓથી ભરેલો ટેમ્પો ખાઇમાં ખાબકતા 8 લોકોના મોત અને 14થી વધારે લોકો ઘાયલ થયા છે. અકસ્માતમાં મૃત્યુઆંક વધવાની શક્યતા છે. ઘાયલોને લુણાવાડાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો


મહિસાગરમાં લગ્નનો માહોલ શોકમાં ફેરવાયો છે. પાઘડી લઈને જઈ રહેલો લોડિંગ ટેમ્પો અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટેમ્પોમાં 30થી વધુ લોકો સવાર હતા. જેમાં 8 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા છે, આ ટેમ્પો ગઠાથી સાત તળાવ જતો હતો. અકસ્માત બાદ ટેમ્પો ખાઇમાં ખાબક્યો હતો. આ ગોઝારા અકસ્માતમાં 8 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 14થી વધારે લોકો ઘાયલ થયા છે.  દુર્ઘટનાના સમાચાર મળતા જ 108ની 4 ટીમોએ પણ ઘટના સ્થળ પર પહોંચી સારવાર શરૂ કરી હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને રિક્ષામાં સારવાર અર્થે લઈ જવાયા હતા. ઘાયલોને લુણાવાડાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જોકે, અકસ્માતમાં મૃત્યુઆંક વધવાની શક્યતા છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.