વાહ રે પોલીસ! ચલણી નોટોના કેસમાં ફરાર ગુનેગારને મહીસાગર SOGએ અંબાજીના પદયાત્રીઓનો સ્વાંગ રચીને ઝડપી પાડ્યો


  • Published By :
  • Published Date : 2023-09-24 18:11:41

પોલીસને ગુનેગારોને પકડવા માટે અનેક પ્રકારના સ્વાંગ રચવા પડતા હોય છે. મહીસાગર SOG એ અંબાજીના પદયાત્રી બનીને એક આરોપીને પકડી પાડ્તા ભારે આશ્ચર્ય સર્જાયું હતું. મહિસાગર પોલીસ સાબરકાંઠા જિલ્લામાં અંબાજીના પદયાત્રી બનીને પગપાળા ચાલવા લાગી હતી. આરોપીને પકડવાના હેતુથી SOG પોલીસની ટીમ ચાલતા અંબાજી જતા પદયાત્રીઓ સાથે ચાલવા લાગીને બાતમી મુજબના આરોપીને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી. પોલીસના જવાનો અને અધિકારી ખેડબ્રહ્મા વિસ્તારમાં અંબાજીના માર્ગે પાંચ કિલોમીટર સુધી ચાલી હતી અને આરોપીની ઓળખ કરી લઈ આરોપી ચાલાકી પૂર્વક ભીડનો લાભ ઉઠાવીને ફરાર થાય એ પહેલા જ ઝડપી લીધો હતો.


બાતમીના આધારે કાર્યવાહી


મહીસાગર SOG પોલીસ ને બાતમી મળી હતી કે  મળી કે આરોપી અંબાજી પગપાળા સંઘમાં જઈ રહ્યો છે. બાતમીના આધારે મહીસાગર SOG પોલીસે વોચ ગોઠવી હતી. આરોપીનું લોકેશન ખેડબ્રહ્મા આસપાસ હોવાને લઈ વર્ણન મુજબના આરોપીની ઓળખ કરીને પોલીસ અંબાજી યાત્રાળુ બનીને પગપાળા સંઘમાં ચાલવા લાગી હતી. LCB PI એસએમ ખાંટે આ અંગેની વિગતો મીડિયાને આપી હતી. પોલીસ જવાનોએ ગળામાં અંબાજી પદયાત્રીઓ જેવા ખેસ સહિત ભક્તિમય વેશ ધારણ કરીને જય અંબેના નાદ સાથે પગપાળા ચાલવા લાગ્યા હતા. અંતે  આરોપી સાથે સંઘ મા 5 કીમી ચાલી સાબરકાંઠાના ખેડબ્રહ્માથી ઝડપી પડ્યો હતો. આરોપીની ચાલાકીને જાણતા પોલીસ કર્મીઓએ સૂઝબૂઝ સાથે ઝડપી લઈને જેલના હવાલે કર્યો હતો. આરોપી છેલ્લાં 1 વર્ષ થી ચલણી નોટોના કેસમા નાસતો-ફરતો હતો. અંતે પોલીસને તેને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી હતી.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!