મહીસાગરના બાકોરમાં સગીરા પર દુષ્કર્મ, સગીરાની હાલત ગંભીર, પોલીસે નરાધમની કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-09-25 22:14:29

મહીસાગર જિલ્લામાં સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. મહીસાગરના ખાનપુર તાલુકાના એક ગામમાં સગીરા પર એક ઈસમે એકાંતનો લાભ લઈ બળાત્કાર  ગુજારતા અરેરાટી મચી ગઈ છે.  જંગલમાં જઈ રહેલી સગીરા પર દુષ્કર્મ આચરી નરાધમ ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર મામલે બાકોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તેને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. જો કે બાકોર પોલીસે બાતમીના આધારે તે શખ્સને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


સગીરાની હાલત ગંભીર


મહીસાગરમાં બળાત્કારનો ભોગ બનેલી સગીરાને તાત્કાલિક 108 મારફતે લુણાવાડા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જો કે મળતી માહિતી મુજબ હાલ બળાત્કાર પિડિતા સગીરાની હાલત ચિંતાજનક છે.  



પહેલા ધોરણમાં ભણતુ બાળક હસતુ રમતુ સ્કૂલે જાય અને સાંજે ઘરે પાછુ જ ન આવે તો....રાત્રે ઘરે પહોંચે મૃતદેહ.... તો મા-બાપ પર શું વિતતુ હશે...છેલ્લા પાંચ દિવસમાં રાજ્યમાં એટલી બધી ઘટનાઓ બની છે કે મહિલા અને બાળકીઓના શોષણ અને હત્યાની કે એક નિઃસાસો છુટી જાય કે ગમે તેટલો વિકાસ કરો

10 થી 15 દિવસમા વાવ વિધાનસભાની ચૂંટણી યોજવા માટેની જાહેરાત થઈ શકે તેવું ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું છે. ભાભરના લોકનિકેતન હોસ્ટેલ ખાતે યોજાયેલ કોંગ્રેસના કાર્યકર્તાઓની મિટિંગમાં કરી હાકલ કરતા કહ્યું કે, આગામી વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના સર્વ સમાજના ઉમેદવારને જીતાડવા અપીલ કરી

ગુજરાત ચેમ્બર ઓફ કોર્મસ એન્ડ ઈન્ડસ્ટ્રી એટલે કે GCCI અને ન્યુઝીલેન્ડ ભારત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી એટલે કે NZBCCI વચ્ચે MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ પ્રસંગે ન્યુઝીલેન્ડના નાયબ પ્રધાનમંત્રી વિન્સ્ટન પીટર્સ પણ ઓનલાઈન ઉપસ્થિત રહ્યા હતા.. NZBCCIના ચેરમેન તરીકે GCCIના સુધાંશુ મહેતાની નિમણૂક કરવામાં આવી છે..

શહેરના ગુંદવાડી વિસ્તારમાં રહેતા સોની પરિવારે આપઘાત કરવાનું પગલું ભર્યું છે.. શરબતમાં ઝેરી દવા ઉમેરી પરિવારજનોએ આપઘાતનો પ્રયત્ન કર્યો છે. તમામ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.. વેપારમાં કરોડોનું નુકસાન થયું હોવાને કારણે આ પગલું લેવામાં આવ્યું હોઈ શકે છે..