મહીસાગરના બાકોરમાં સગીરા પર દુષ્કર્મ, સગીરાની હાલત ગંભીર, પોલીસે નરાધમની કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-09-25 22:14:29

મહીસાગર જિલ્લામાં સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. મહીસાગરના ખાનપુર તાલુકાના એક ગામમાં સગીરા પર એક ઈસમે એકાંતનો લાભ લઈ બળાત્કાર  ગુજારતા અરેરાટી મચી ગઈ છે.  જંગલમાં જઈ રહેલી સગીરા પર દુષ્કર્મ આચરી નરાધમ ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર મામલે બાકોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તેને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. જો કે બાકોર પોલીસે બાતમીના આધારે તે શખ્સને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


સગીરાની હાલત ગંભીર


મહીસાગરમાં બળાત્કારનો ભોગ બનેલી સગીરાને તાત્કાલિક 108 મારફતે લુણાવાડા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જો કે મળતી માહિતી મુજબ હાલ બળાત્કાર પિડિતા સગીરાની હાલત ચિંતાજનક છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.