Mahisagar: સોશિયલ મીડિયા પર વાયરલ થયા ત્યજેલા બાળકના ફોટો, ફોટાના આધારે પોલીસે શરૂ કરી તપાસ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-21 14:29:02

આપણે ત્યાં બાળકોને ઈશ્વરનું સ્વરૂપ માનવામાં આવે છે. બાળકોને ઈશ્વરનું વરદાન માનવામાં આવે છે. પરંતુ સમાજમાં અનેક લોકો એવા હોય છે બાળકોને ત્યજી દે છે. અનેક વખત માસુમ બાળકો ત્યજેલી હાલતમાં જોવા મળતા હોય છે. કોઈ વખત કચરાપેટીમાંથી તો કોઈ વખત રસ્તા પરથી ત્યજેલા બાળકો મળી આવે છે. ત્યારે આવો જ એક ત્યજેલા બાળકનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે ફોટા વાયરલ થઈ રહ્યા છે તે સંતરામપુરના ખેડાપા ગામના હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસે આ આધારે આગળની તપાસ શરૂ કરી છે. 


સોશિયલ મીડિયા પર વાયરલ થયા ત્યજેલા બાળકના ફોટો    

અનેક વખત નવજાત શિશુને ત્યજી દેવાની ઘટનાઓ સામે આવતી રહે છે. અંગત કારણોસર અનેક વખત આવું પગલું ઉઠાવવામાં આવતું હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક ત્યજેલા બાળકનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. બાળકના ફોટો વાયરલ થતાં જ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. બાળક કોનું છે, કયા કારણોસર આવું પગલું ઉઠાવવામાં આવ્યું તે અંગે પોલીસવાળા તપાસ કરવામાં આવી રહી છે. આ ફોટો સંતરામપુરના ખેડાપા ગામનો હોવાનો માનવામાં આવી રહ્યું છે. વાયરલ ફોટાના આધારે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. 


પોલીસે આ મામલે શરૂ કરી તપાસ 

આ મામલે તપાસ કરતા કરતા પોલીસ જ્યારે તે સ્થળ પર પહોંચી હતી ત્યારે જાણવા મળ્યું કે બાળકની દફનવિધી કરી દેવામાં આવ્યું છે. એવું પણ સામે આવ્યું હતું કે બાળકની દફનવિધી તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવી છે. ત્યારે આ મામલે તપાસ કરવા માટે પોલીસે બાળકના શવને બહાર કાઢ્યો છે . માર્ગ પર બાળકને કોણ મૂકી ગયું, બાળકને કોણે ત્યજ્યું તે અંગેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી છે. નવજાત શિશુને ત્યજી દેવા બાબતે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે. હવે જોવું રહ્યું કે આ મામલે શું નવા અપડેટ સામે આવે છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.