Mahisagar : ગણેશ પંડાલમાં રાખવામાં આવી સ્વામીનારાયણ ભગવાનની મૂર્તિ, ગણપતિ દાદા કરતા મોટા સ્વામીનારાયણ ભગવાનને દર્શાવાયા, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-23 17:35:42

હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે. અલગ અલગ પંડાલમાં અલગ અલગ થીમ પર ગણપતિજીની મૂર્તિ રાખવામાં આવતી હોય છે. ત્યારે મહિસાગરના લુણાવાડા શહેરમાં આવેલી છપૈયા ધામ સોસાયટીનો ગણપતિ પંડાલ એવો હતો જેમાં ગણપતિ દાદા સાથે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ પણ રાખવામાં આવી હતી! એક ફેસબુક એકાઉન્ટમાં એક તસવીર શેર કરવામાં આવી હતી જેમાં સ્વામીનારાયણ ભગવાનનું આસન ગણપતિ દાદાના આસન કરતા મોટું બતાવવામાં આવ્યું છે. આ પોસ્ટ સામે આવતા ભારે વિવાદ છેડાયો છે. જ્યારે આ પંડાલનું કવરેજ કરવા મીડિયા કર્મીઓ ગયા હતા ત્યારે તેમની પર હુમલો થયો હતો. મહિલાઓએ તેમજ પૂરૂષોએ મીડિયા કર્મીઓ પર હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈ લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.  

સોશિયલ મીડિયા પર કરવામાં આવી હતી પોસ્ટ!

સમગ્ર દેશમાં ગણેશ મહોત્સવની ઉજવણી ભારે ધામધૂમથી કરવામાં આવે છે. ક્યાંક સાર્વજનિક ગણેશ મહોત્સવ હોય છે તો ક્યાંક સોસાયટીના સભ્યો પોતાની સોસાયટીમાં ગણેશ પ્રતિમા લાવે છે. અલગ અલગ થીમ પર ગણપતિ બાપ્પાના પંડાલની સજાવટ કરવામાં આવે છે. ત્યારે મહિસાગરના લુણાવાડામાં આવેલી છપૈયા ધામ સોસાયટી વિસ્તારમાં ગણપતિ બાપ્પાની મૂર્તિ લાવવામાં આવી હતી. એ ફેસબુક પોસ્ટ સામે આવી હતી જેમાં ગણપતિ પંડાલમાં સ્વામીનારાયણ ભગવાનની મૂર્તિ રાખવામાં આવી હતી. એ પંડાલમાં સ્વામીનારાયણ ભગવાનની મૂર્તિ ગણપતિ દાદાની મૂર્તિ કરતા ઉંચી બતાવવામાં આવતા વિવાદ સર્જાયો હતો. ઉલ્લેખનિય છે કે થોડા સમય પહેલા સ્વામીનારાયણ સંપ્રદાય સતત ચર્ચામાં રહી રહ્યો છે. 



કવરેજ માટે ગયેલા મીડિયા કર્મીઓ પર કરાયો હુમલો!

સાળંગપુર મંદિરનો વિવાદ શાંત થઈ ગયો છે. ત્યારે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં આ ફોટો મૂકવામાં આવ્યો હતો. ફેસબુક પોસ્ટ સામે આવતા મીડિયા કર્મીઓ ત્યાં કવરેજ માટે પહોંચ્યા હતા. પરંતુ કવરેજ કરવા આવેલા કર્મીઓ પર સ્થાનિકોએ હુમલો કર્યો હતો. લોકોના ટોળાઓએ મીડિયા કર્મીઓ પર હુમલો કર્યો જેમાં મહિલા તેમજ પૂરૂષોનો સમાવેશ થયો હતો. લોકોએ કહ્યું કે પોતે સ્વામીનારાયણ સંપ્રદાયના અનુયાયી છે અને અમારા ભગવાન મોટા છે તેમ કહીને મીડિયા કર્મીઓને માફી માગવા માટે પણ કહ્યું હતું.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.