Mahisagar : ચૂંટણી નજીક આવતા રાજકીય પાર્ટીમાં શરૂ થયો ભરતી મેળો, જાણો કોણે કેસરિયો કર્યો ધારણ?


  • Published By :
  • Published Date : 2023-09-25 17:01:49

થોડા સમય બાદ લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી યોજાય તે પહેલા રાજકીય પાર્ટીઓમાં ભરતી મેળો  શરૂ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. પોતાની પાર્ટી છોડી નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. ત્યારે મહીસાગરમાં આમ આદમી પાર્ટી અને NCPમાં મોટું ભંગાણ થયું છે. મહીસાગરમાં આમ આદમી પાર્ટી તેમજ એનસીપીને મોટો ફટકો પડ્યો છે. 2022 વિધાનસભા ચૂંટણીના ઉમેદવારે ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. પોતાના કાર્યકરો સહિત ભાજપમાં આમ આદમી પાર્ટીના તેમજ એનસીપીના નેતા જોડાયા છે.  


આમ આદમી પાર્ટી અને એનસીપીને પડ્યો મોટો ફટકો 

ચૂંટણી નજીક આવતા રાજકીય પાર્ટીઓમાં ભરતી મેળો શરૂ થઈ જતો હોય છે. પક્ષપલટો કરી નેતાઓ બીજી પાર્ટીમાં જોડાઈ જતા હોય છે. ત્યારે મહીસાગરમાં જેમને આમ આદમી પાર્ટીએ વિધાનસભામાં પોતાનો ચહેરો બનાવ્યો હતો મતલબ કે જે ઉમેદવાર હતા તેમણે આમ આદમી પાર્ટીનો ખેસ ફાડી દીધો છે. પોતાના કાર્યકર્તાઓ સાથે તેમણે કેસરિયો ધારણ કર્યો હતો. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત પ્રમુખના સત્કાર સમારોહમાં આપના અને એનસીપીના નેતા કેસરિયા રંગે રંગાયા હતા. 


ચૂંટણી નજીક આવતા પાર્ટીમાં શરૂ થશે ભરતી મેળો!

સંતરામપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડેલા પર્વત વાગડીયા સહીત ખાનપુર તાલુકા પંચાયતના કારંટા બેઠકના આમ આદમી પાર્ટીના તાલુકા પંચાયત સભ્ય અરવિંદ પટેલ પણ ભાજપમાં જોડાયા હતા. ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ગોર્ધન ઝડફિયા, મંત્રી ડૉ.કુબેરભાઈ ડિંડોર અને પ્રભારી મંત્રી બચુંભાઈ ખાબડ સહિત પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. મહત્વનું છે કે જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ અનેક નેતાઓ પક્ષપલટો કરશે. જે પાર્ટી માટે તેમણે અપશબ્દો કહ્યા હતા તે જ પાર્ટીમાં ચૂંટણી નજીક આવતા નેતાઓ જોડાઈ જતા હોય છે.   




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.