માતરથી ટિકિટ મળતા મહિપતસિંહ ચૌહાણને કરવો પડ્યો વિરોધનો સામનો, AAPના કાર્યકરોએ નોંધાવ્યો વિરોધ


  • Published By :
  • Published Date : 2022-11-04 17:10:19

ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે પરંતુ કોંગ્રેસ અને ભાજપે પોતાના ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા. જ્યારે આમ આદમી પાર્ટીએ તબક્કાવાર પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. નવમું લિસ્ટ જાહેર કરી આપે 100થી વધુ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ત્યારે ટિકિટ ફાળવણીને લઈ આમ આદમી પાર્ટીમાં ડખા જોવા મળી રહ્યા છે. માતર વિધાનસભા બેઠક માટે આમ આદમી પાર્ટીએ મહિપતસિંહ ચૌહાણને મેદાનમાં ઉતાર્યા છે. મહિપતસિંહને ટિકિટ આપવાને કારણે કાર્યકરોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. 



ખેડા જિલ્લાની માતર બેઠક પરથી આપના ઉમેદવાર છે મહિપતસિંહ ચૌહાણ   

ચૂંટણીની તારીખો ભલે હમણાં જાહેર કરવામાં આવી છે પરંતુ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામ ઘણાં પહેલા જાહેર કરી દીધા છે. તબક્કાવાર નામની જાહેરાત કરવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટીએ માતરથી મહિપતસિંહ ચૌહાણને ચૂંટણી મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે જે બાદ પાર્ટીના નિર્ણયનો વિરોધ કાર્યકરો દ્વારા કરવામાં આવી રહ્યો છે. મહિપતસિંહે પક્ષમાંથી એક સમયે રાજીનામું આપી દીધું હતું અને તે બાદ પણ તેમને ટિકિટ અપાતા કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. 


મહિપતસિંહનો વિરોધ કરવા એકઠા થયેલા AAPના કાર્યકરો.

મહિપતસિંહને ટિકિટ અપાતા કાર્યકરોએ કર્યો વિરોધ 

આમ આદમી પાર્ટીએ માતર વિધાનસભા બેઠક માટે મહિપતસિંહ ચૌહાણનું નામ જાહેર કર્યું હતું. પરંતુ તેમને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે તે અંગે તેમને પણ જાણ ન હતી. તો બીજી તરફ માતર બેઠક માટે તેમની પસંદગી કરવામાં આવતા ખેડા જિલ્લાના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહિપતસિંહે એક વખત પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું. એક સમયે પાર્ટીને અલવિદા કહેનારને ટિકિટ આપવામાં આવતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. પોતાનો વિરોધ નોંધાવતા કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. ઉપરાંત તમામ કાર્યકરોએ આપમાંથી રાજીનામું આપી નવો પક્ષ રચવાની ચિમક્કી પણ આપવામાં આવી હતી. 

Mahipatsinh chauhan | Facebook

કોઈ પણ પાર્ટી હોય, આંતરિક વિખવાદ તો હોય જ છે  

ટિકિટ ફાળવણી દરમિયાન પાર્ટીમાં ચાલતા આંતરિક વિખવાદ ખુલ્લીને બહાર આવતા હોય છે. કોઈ પણ પાર્ટી હોય ટિકિટ વહેંચણીના સમયે પાર્ટીના સભ્યો વચ્ચે મનમોટાવ થઈ જતો હોય છે. આપમાંથી આવા ડખા સામે આવ્યા છે. ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારોના નામની જાહેરાત નથી કરી. આવા આંતરિક વિખવાદ ભાજપ અને કોંગ્રેસમાંથી પણ આવે તો નવાઈ નહીં.     



સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વ્હાઇટહાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ આ રેસિપ્રોકલ ટેરિફ પછી યુરોપમાંથી પેહલા વડાપ્રધાન છે જેઓ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા છે. આ મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પએ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની પ્રશંસા કરી છે સાથે જ સામે જ્યોર્જિયા મેલોનીએ ડોનાલ્ડ ટ્રમ્પને ઇટાલીની રાજધાની રોમમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મુલાકાત દરમ્યાન બેઉ દેશોના વડાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન પણ કર્યું હતું જેમાં એક પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું હતું કે , તમે ક્યારેય યુરોપના લોકોને પેરેસાઇટ કહ્યા છે. જોકે ટ્રમ્પએ વાત નકારી કાઢે છે

થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.