Jammu-Kashmirમાં MahipalSinh આપણા માટે શહીદ થયા છે, તે યાદ રાખજો...


  • Published By :
  • Published Date : 2023-08-08 11:22:37

દેશની સુરક્ષા માટે તત્પર રહેતા જવાન જ્યારે સરહદ પર શહિદ થાય છે ત્યારે તે અમર બની જાય છે. એ અમર રહેશે જો આપણે તેમને અમર રાખીશું. અમર આપણી વાર્તામાં, અમર આપણા દિલમાં. આપણે આપણા ઘરમાં સુરક્ષિત છીએ કારણ કે દેશની અને આપણી સુરક્ષા કરવા માટે સરહદ પર જવાન તૈનાત છે. આપણે નિશ્ચિંત થઈ ફરી શકીએ છીએ કારણ કે આપણને વિશ્વાસ છે કે આપણી, આપણા પરિવારની સુરક્ષા જવાન કરી રહ્યા છે. પોતાના પરિવારથી દૂર આપણા પરિવારની સુરક્ષા માટે જવાન પોતાના પ્રાણની ચિંતા કર્યા વગર, પોતાના પરિવારનો વિચાર કર્યા વગર પોતાની ફરજ સમજી કરે છે.  


દેશની રક્ષા માટે બલિદાન આપવા, એક ક્ષણ પણ નથી વિચારતા   

વાત જવાનની એટલા માટે કરવી છે કારણ કે ભારત માતાની સેવા કરવા, રક્ષા કરવા માટે  મહિપાલસિંહ જેવા અનેક વીર જવાનોએ પોતાના પ્રાણોની આહુતી આપી છે. 20-30 વર્ષની ઉંમરે એક તરફ તથ્ય પટેલ જેવા યુવાનો છે જેને પોતાના સિવાય કોઈ બીજાના પ્રાણની ચિંતા નથી અને એક તરફ સરહદ પર 20-30 વર્ષનો જવાન પોતાની ચિંતા કર્યા વગર દેશ માટે પોતાના જીવનો બલિદાન આપી દે છે. દેશનું એ સદ્ભાગ્ય ગણો કે શહીદ પરિવારનું દુર્ભાગ્ય ગણો કે નાની ઉંમરે યુવાનો આપણા માટે શહીદ થઈ જાય ત્યારે વિચારવું જરૂરી છે કે આપણી આદર્શની કહાનીમાંથી, આપણી વાર્તાઓમાંથી આવાથી આવા મહિપાલસિંહ ભૂંસાવા ન જોઈએ. કારણ કે આ લોકો છે આપણી સુરક્ષા માટે, દેશના આત્મસન્માન માટે પોતાનું જીવન ન્યોછાવર કરી દે છે.

જ્યારે જ્યારે આપણે આપણું કર્તવ્ય પાલન કરવાનું ચૂકવીએ ત્યારે ત્યારે

મહિપાલસિંહ તેમજ શહીદોના બલિદાનને એટલા માટે બાળકોને વાર્તાના સ્વરૂપમાં, આદર્શોની રીતે એટલા માટે સતત કહેવી જોઈએ કારણ કે ભગતસિંહથી લઈ મહિપાલસિંહનો ઈતિહાસ કહે છે કે 23-25 વર્ષના યુવાનો દેશની સુરક્ષા માટે શહીદ થાય છે. આપણે દેશના સ્વાભીમાનની વાતો કરીએ છીએ પરંતુ આપણે આપણું કર્તવ્ય ભૂલી જઈએ છીએ. અને જ્યારે જ્યારે આપણે આપણી પ્રામાણિક્તા ચૂકી રહ્યા છીએ એવું લાગે કે આપણે આપણા કર્તવ્ય ચૂકી જતા હોઈએ, જ્યારે આપણને લાગે કે આપણે આપણા કર્તવ્યો સભાનતાથી નથી નિભાવી રહ્યા, જ્યારે જ્યારે એવું લાગે કે આ દેશની આઝાદીનું આપણે મૂલ્ય નથી સાચવી શક્તા ત્યારે ત્યારે ભગતસિંહથી લઈ મહિપાલસિંહ દ્વારા આપવામાં આવેલા બલિદાનને યાદ કરી લેજો.


આપણી રક્ષા માટે સરહદ પર ઉભા રહેતા જવાન પોતાના સીના પર ખાય છે ગોળી 

આજની પેઢીના રોલ મોડલ રીલ હીરો હોય પરંતુ વાસ્તવિક્તામાં તેમના રોલ મોડલ રિયલ હિરો એટલે હોવા જોઈએ જે દેશ માટે શહીદ થાય છે. આપણામાંથી અનેક લોકો એવા હશે જે આવા શહીદોને ત્યારે જ યાદ રાખતા હશે જ્યારે તેમના પર ફિલ્મ બની હોય. દરેક શહીદને કોઈ પણ યાદ ન રાખી શકીએ, પરંતુ આપણા માટે તેમણે પોતાની જીવનની આહુતિ આપી છે એ તો યાદ રાખી શકીએ ને... કારણ કે એ લોકો દુશ્મની ગોળી પોતાની છાતીએ ખાય છે, દેશની રક્ષા માટે શહીદ થાય છે ત્યારે જ આપણે આપણા પરિવાર સાથે સુરક્ષિત રહી શકીએ છીએ. 'શહીદ અમર રહે'ના નારા તો ખૂબ લગાવ્યા પરંતુ હવે તેમને પોતાના મનમાં, આપણા કર્તવ્ય પાલનમાં તેમને અમર રાખવાના છે.  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!