કલમ 370 અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ મહબુબા મુફ્તી નજરબંધ, LGએ કર્યો ઈન્કાર


  • Published By :
  • Published Date : 2023-12-11 14:04:19

જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370ને નાબુદ કરવાના નિર્ણયને પડકારનારી અરજીઓ અંગે સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો સંભળાવ્યો હતો. આ નિર્ણય પહેલા પિપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના અધ્યક્ષ મહેબુબા મુફ્તીને સોમવારે નજરબંધ કરવામાં આવ્યા હતા. પીડીપીએ આ જાણકારી આપી હતી. પીડીપીએ આ માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે સુપ્રીમ કોર્ટ ચુકાદો સંભળાવે તે પહેલા જ પોલીસે પીડીપી અધ્યક્ષ મહેબુબા મુફ્તીના નિવાસસ્થાનના દરવાજા સીલ કરી દેવામાં આવ્યા હતા, અને  તેમને નજરબંધ કરી દેવામાં આવ્યા છે. જો કે ઉપરાજ્યપાલ મનોજ સિંહા દ્વારા આ બાબતને વખોડી નાખવામાં આવી છે.  




ફારૂખ અબ્દુલ્લાના ઘર બહાર પોલીસ તૈનાત


અધિકારીઓએ જણાવ્યું કે પત્રકારોને નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂખ અબ્દુલ્લા અને ઉપાધ્યક્ષ ઉમર અબ્દુલ્લાના ગુપકર સ્થિત નિવાસસ્થાને એકત્રિત થવાની મંજુરી નથી. ગુપકર રોડના પ્રવેશ સ્થાનો પર પોલીસકર્મીઓની એક ટુકડી તૈનાત કરવામા આવી છે. ઓક્ટોબર 2020માં પોતાનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કર્યા બાદ ઓમર અબ્દુલ્લા તેમના પિતા સાથે જ રહે છે. શ્રીનગર થી સાંસદ ફારૂખ અબ્દુલ્લા વર્તમાનમાં સંસદીય સત્ર માટે દિલ્હીમાં જ છે, અને તેમનો પુત્ર હાલ શ્રીનગરમાં રહે છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.