શું ગાંધીજીને મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, 4 વર્ષના રાજીવ ગાધીને શું કહ્યું હતું? જાણો


  • Published By :
  • Published Date : 2023-01-30 21:21:35

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે પુણ્ય તિથિ છે, 30 જાન્યુઆરી 1948ના દિવસે આજના દિવસે જ નાથૂરામ ગોડસેએ મહાત્મા ગાંધીની હત્યા કરી હતી. આજ અનેક ગાંધીવાદીઓ દાવો કરી રહ્યા છે કે મોત પહેલા મહાત્મા ગાંધીને તેમના મૃત્યુનો આભાશ થઈ ગયો હતો. શું ખરેખર ગાંધીજી તેમના મોત અંગે કાંઈ બોલ્યા હતા, આવો જાણીએ


ગાંધીજીએ મોત અંગે કર્યું હતું પૂર્વાનુમાન


20 જાન્યુઆરી 1948 એટલે કે મોતના 10 દિવસ પહેલા જ ગાંધીજીની હત્યાનો પ્રયાસ થયો હતો. જો કે તેમાં  તે માંડ-માંડ બચી ગયા હતા. આ ઘટના બાદ ગાંધીજીને તેમની મોતનો આભાશ થઈ ગયો હતો. તેમણે પોતાના મોત અંગે સમાચાર પત્રો, જનસભાઓ અને પ્રાથના સભાના માધ્યમથી લગભગ 14 પૂર્વાનુમાન વ્યક્ત કર્યું હતું. ગાંધીજીએ 21 જાન્યુઆરીએ કહ્યું હતું કે જો કોઈ મારા પર ખુબ જ નજીકથી ગોળીબાર કરે છે તો હું હસતા હસતા રામનું નામ લેતા-લેતા તે ગોળીઓનો સામનો કરુ છું તો હું શુભેચ્છાઓનો હકદાર છું.


ગાંધીજીએ 4 વર્ષના રાજીવને શું કહ્યું હતું? 


ગાંધીજીની હત્યાના એક દિવસ પહેલા જ પંડિત નહેરૂ તેમના પરિવારજનો સાથે ગાંધીજીને મળવા ગયા હતા. જવાહર લાલ નહેરૂ સાથે તેમની બહેન કૃષ્ણા, નયનતારા, રાજીવ ગાંધી, પદ્મજા નાયડૂ પણ હતા. નહેરૂ પરિવાર પહોંચ્યો ત્યારે ગાધીજી બિરલા હાઉસમાં લાકડાની એક ખુરસીમાં બેસીને તાપણું કરીને તાપતા હતા. જવાહરલાલ નહેરૂ સાથે પરિવારના તમામ સભ્યો બિરલા હાઉસની લોન પર બેઠા હતા. આ સમયે 4 વર્ષનો રાજીવ ગાંધી પતંગિયાઓ પાછળ દોડતો હતો. બાદમાં રાજીવ ગાંધી મહાત્મા ગાંધીના પગ નજીક બેસી ગયો, અને તેની મમ્મી ઈન્દિરા ગાધી દ્વારા લાવવામાં આવેલા ચમેલીના ફૂલોને મહાત્મા ગાધીના પગ પર મુકવા લાગ્યો. મહાત્મા ગાંધી આ જોઈને હસવા લાગ્યા અને બાળ રાજીવના કાન પકડીને કહ્યું કે 'આવું ન કરીશ, માત્ર મૃત વ્યક્તિના પગ પર જ ફૂલો ચડાવવામાં આવે છે. ઈન્દિરા ગાંધીની આત્મકથા લખનારા કેથરિન ફ્રેંકે તેમના પુસ્તકમાં તે સાંજનું વિવરણ લખ્યું છે. 



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.