શું ગાંધીજીને મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, 4 વર્ષના રાજીવ ગાધીને શું કહ્યું હતું? જાણો


  • Published By :
  • Published Date : 2023-01-30 21:21:35

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે પુણ્ય તિથિ છે, 30 જાન્યુઆરી 1948ના દિવસે આજના દિવસે જ નાથૂરામ ગોડસેએ મહાત્મા ગાંધીની હત્યા કરી હતી. આજ અનેક ગાંધીવાદીઓ દાવો કરી રહ્યા છે કે મોત પહેલા મહાત્મા ગાંધીને તેમના મૃત્યુનો આભાશ થઈ ગયો હતો. શું ખરેખર ગાંધીજી તેમના મોત અંગે કાંઈ બોલ્યા હતા, આવો જાણીએ


ગાંધીજીએ મોત અંગે કર્યું હતું પૂર્વાનુમાન


20 જાન્યુઆરી 1948 એટલે કે મોતના 10 દિવસ પહેલા જ ગાંધીજીની હત્યાનો પ્રયાસ થયો હતો. જો કે તેમાં  તે માંડ-માંડ બચી ગયા હતા. આ ઘટના બાદ ગાંધીજીને તેમની મોતનો આભાશ થઈ ગયો હતો. તેમણે પોતાના મોત અંગે સમાચાર પત્રો, જનસભાઓ અને પ્રાથના સભાના માધ્યમથી લગભગ 14 પૂર્વાનુમાન વ્યક્ત કર્યું હતું. ગાંધીજીએ 21 જાન્યુઆરીએ કહ્યું હતું કે જો કોઈ મારા પર ખુબ જ નજીકથી ગોળીબાર કરે છે તો હું હસતા હસતા રામનું નામ લેતા-લેતા તે ગોળીઓનો સામનો કરુ છું તો હું શુભેચ્છાઓનો હકદાર છું.


ગાંધીજીએ 4 વર્ષના રાજીવને શું કહ્યું હતું? 


ગાંધીજીની હત્યાના એક દિવસ પહેલા જ પંડિત નહેરૂ તેમના પરિવારજનો સાથે ગાંધીજીને મળવા ગયા હતા. જવાહર લાલ નહેરૂ સાથે તેમની બહેન કૃષ્ણા, નયનતારા, રાજીવ ગાંધી, પદ્મજા નાયડૂ પણ હતા. નહેરૂ પરિવાર પહોંચ્યો ત્યારે ગાધીજી બિરલા હાઉસમાં લાકડાની એક ખુરસીમાં બેસીને તાપણું કરીને તાપતા હતા. જવાહરલાલ નહેરૂ સાથે પરિવારના તમામ સભ્યો બિરલા હાઉસની લોન પર બેઠા હતા. આ સમયે 4 વર્ષનો રાજીવ ગાંધી પતંગિયાઓ પાછળ દોડતો હતો. બાદમાં રાજીવ ગાંધી મહાત્મા ગાંધીના પગ નજીક બેસી ગયો, અને તેની મમ્મી ઈન્દિરા ગાધી દ્વારા લાવવામાં આવેલા ચમેલીના ફૂલોને મહાત્મા ગાધીના પગ પર મુકવા લાગ્યો. મહાત્મા ગાંધી આ જોઈને હસવા લાગ્યા અને બાળ રાજીવના કાન પકડીને કહ્યું કે 'આવું ન કરીશ, માત્ર મૃત વ્યક્તિના પગ પર જ ફૂલો ચડાવવામાં આવે છે. ઈન્દિરા ગાંધીની આત્મકથા લખનારા કેથરિન ફ્રેંકે તેમના પુસ્તકમાં તે સાંજનું વિવરણ લખ્યું છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે