મહા સુદ તેરસ એટલે ભગવાન વિશ્વકર્માની જયંતી


  • Published By :
  • Published Date : 2023-02-02 16:08:10

મહાસુદ તેરસ એટલે ભગવાન વિશ્વકર્માની જયંતી. વિશ્વકર્મા જયંતી  આવતી કાલે એટલે કે 3 ફેબ્રુઆરીના રોજ આવી રહી છે. ભગવાન વિશ્વકર્માને દુનિયાના સર્વ પ્રથમ વાસ્તુકાર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન વિશ્વકર્માએ સ્વર્ગલોક, હસ્તીનાપુર, દ્વારકા જેવા નગરોનું નિર્માણ કર્યું હતું. સામાન્ય ભાષામાં કહીએ તો  ભગવાન વિશ્વકર્મા દેવતાઓના એન્જિનિયર કહેવાય છે. 

દેવતાઓના શિલ્પી છે ભગવાન વિશ્વકર્મા, રાવણની સોનાની લંકા અને શ્રીકૃષ્ણની  દ્વારિકા નગરીનું કર્યું હતું નિર્માણ | Lord Vishwakarma Jayanti On 17  September ...

મિસ્ત્રી કામ સાથે જોડાયેલા લોકો ભગવાન વિશ્વકર્માને તેમના આરાધ્ય કે કુળદેવતા રૂપે પૂજે છે. આ દિવસે કળા કૌશલ્ય ધરાવનાર વ્યક્તિ અને મશીન સાથે જોડાયેલા લોકો આ દિવસે તેમના સાધનો અને મશીનોની પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે પૂજા કરવાથી વેપાર-ધંધામાં વૃદ્ધિ થાય છે. 


શાસ્ત્રોમાં ભગવાન વિશ્વકર્માની પૂજાને વિશેષ માનવામાં આવે છે. અનેક લોકો ઘરોમાં, કારખાનાઓ અને ઓદ્યોગિક સંસ્થાઓ દ્વારા વિશ્વકર્માની પૂજા કરવામાં આવે છે. કળિયુગમાં ભગવાન વિશ્વકર્માની પૂજા લોકો કરતા હોય છે કારણ કે ટેક્નોલોજી સાથે અનેક લોકો સંકળાયેલા હોય છે. આ તહેવાર એવા લોકો માટે જરૂરી છે જે કળાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ફર્નિચર બનાવનાર, મશીનરી સાથે સંકળાયેલા લોકો માટે આ દિવસ ખાસ હોય છે.      




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે