Maharastra : મરાઠા અનામત આંદોલન કરી રહેલા મનોજ જરાંગે સમેટ્યું આંદોલન, માગ સ્વીકારાતા એકનાથ શિંદે માટે મનોજે કહી આ વાત.. જાણો


  • Published By :
  • Published Date : 2024-01-27 11:00:57

મરાઠા અનામત આંદોલન પૂર્ણ કરવાની જાહેરાત મનોજ જરાંગ દ્વારા કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં મરાઠા અનામતને લઈ આંદોલન ચલાવવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર સરકારને અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર સરકારે અનામતની માગને લઈ આંદોલન કરી રહેલા કાર્યકર્તા મનોજ જરાંગ પાટીલની માગણીઓને સ્વીકારી લેવામાં આવી છે સરકાર દ્વારા. જરાંગે રાજ્યના મુખ્યમંત્રીની પ્રશંસા પણ કરી છે. પ્રશંસા કરતા તેમણે કહ્યું કે 'મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સારું કામ કર્યું છે. અમારો વિરોધ હવે સમાપ્ત થઈ ગયો છે.'

આ માગ સાથે મનોજ જરાંગ કરી રહ્યા હતા આંદોલન!  

મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલન ચાલી રહ્યું હતું, આરક્ષણને લઈ વિરોધ કરવામાં આવી રહ્યો હતો. મરાઠા સમુદાય માટે આરક્ષણ માટે મનોજ જરાંગ પાટીલ આંદોલન કરી રહ્યા હતા. મનોજ જરાંગ પાટીલની માગ હતી કે મરાઠા સમાજના લોકો ઓબીસી હેઠળ સરકારી નોકરીઓ અને શિક્ષણમાં આરક્ષણ માટે વિરોધ કરી રહ્યા છે. મનોજ જરાંગની પહેલી માગ હતી કે મરાઠા સમુદાયને ફૂલપ્રૂફ આરક્ષણ મળવું જોઈએ.અનામત આંદોલનકારીઓ સામે નોંધાયેલા ગુનાઓ રદ્દ કરવા માટે તારીખ નક્કી કરવી જોઈએ. ઉપરાંત એવી માગ કરી હતી કે મહારાષ્ટ્ર સરકાર મરાઠા સમુદાયના આર્થિક અને સામાજીક પછાતપણાના સર્વેક્ષણ માટે ભંડોળ પૂરૂં પાડે અને ઘણી ટીમો બનાવે. મરાઠાઓને કુણબી જાતિનું પ્રમાણપત્ર આપતો સરકારી આદેશ પસાર થવો જોઈએ અને તેમાં મહારાષ્ટ્ર શબ્દનો સમાવેશ થવો જોઈએ.

મુખ્યમંત્રી એકનાથ શિંદે માટે કહી આ વાત! 

મનોજ જરાંગ દ્વારા સરકારને અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. શનિવાર સવારે મહારાષ્ટ્ર સરકાર દ્વારા મનોજ જરાંગે પાટીલની માંગણીઓને સ્વીકારી લેવામાં આવી છે. સરકાર દ્વારા માગણીનો સ્વીકાર કરાતા વિરોધ સમાપ્ત થઈ ગયો છે. અનામતની માગ કરી રહેલા મનોજ જરાંગે પ્રતિક્રિયા આપી છે કે 'મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સારું કામ કર્યું છે. અમારો વિરોધ હવે સમાપ્ત થઈ ગયો છે. અમારી માગને સ્વીકારવામાં આવી છે. અમે તેમનો પત્ર સ્વીકારીશું.'. એકનાથ શિંદે મનોજ જરાંગ સાથે મુલાકાત કરી હતી.       



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.