લાલબાગ ચા રાજાની પહેલી ઝલકે સોશિયલ મીડિયામાં મચાવી ધૂમ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-30 11:32:59

વિવિધતાથી ભરેલા ભારતમાં તમામ ધર્મના લોકો સાથે મળીને ભવ્ય રીતે તહેવારો ઉજવે છે. હિંદુ ધર્મના મોટા તહેવારોમાંનો એક તહેવાર એટલે ગણેશોત્સવ. જમાવટ પર આજે ગણેશ ચતુર્થીના પાવન પર્વ પર કરો લાલ બાગ ચા રાજાના દર્શન


મહારાષ્ટ્રના મુંબઈ શહેરમાં સ્થિત પરેલ વિસ્તારમાં લાલબાગ ચા રાજા વિઘ્નહર્તા ગણેશની મૂર્તિ ગઈકાલે રાત્રે ભક્તો માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. કોરોનાના કપરા કાળમાંથી પસાર થયા બાદ અંતે બે વર્ષ બાદ ગણેશ બાપ્પાના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી. પ્રતિવર્ષ લાલ બાગમાં ભવ્ય રીતે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે. ઢોલ-નગારા અને ડીજેના તાલે મુંબઈના લોકો લાલ બાગ ચા રાજાનું સ્વાગત કરે છે. ત્યારે ગઈકાલે રાતે જ લાલ બાગ ચા રાજાની પહેલી ઝલક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. મોટી સંખ્યામાં લોકોએ બાપ્પાની પહેલી ઝલક મેળવી હતી.  


કેમ 'લાલ બાગ ચા રાજા' પ્રત્યે છે લોકોને અપાર લાગણી?

વર્ષ 1934માં ચિંચપોકલીના કોલીઓએ સાર્વજનિક ગણેશોત્સવ લાલબાગ ચા રાજા મંડળની સ્થાપના કરી હતી. મુંબઈના લાલબાગ ચા રાજા મહારાષ્ટ્ર સહિત દેશભરમાં પ્રખ્યાત છે. મહારાષ્ટ્રમાં જ 50 હજારથી વધારે ગણેશ મંડળ છે, જ્યારે દેશભરમાં તો જુજ સંખ્યામાં ગણેશ મંડળ છે, જે ભાવ સાથે ગણેશોત્સવ ઉજવે છે.  


વર્ષ 2022માં ક્યારે ઉજવાશે ગણેશોત્સવ?

ગણેશ ચતુર્થી વિક્રમ સવંતની ભાદરવા સુદ ચોથના રોજ ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. ગણેશોત્સવ 10 દિવસ ચાલે છે અને અનંત ચતુદર્શીના રોજ તહેવાર પૂર્ણ થાય છે. દસ દિવસ બાદ રંગેચંગે ગણેશમૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. 31 ઓગસ્ટ 2022ના રોજ દેશભરમાં ગણેશ ચતુર્થી ઉજવવામાં આવશે. 


ગણેશોત્સવ પર જમાવટની તમને નમ્ર અપીલ  

ગણેશ મંડળો અને ઘરોમાં ગણેશ સ્થાપના દરમિયાન લોકો પ્લાસ્ટર ઓફ પેરીસ એટલે કે સામાન્ય બોલચાલની ભાષામાં પીઓપીની મૂર્તિ ખરીદતા હોય છે. પ્લાસ્ટર ઓફ પેરીસ એક ખાસ કેમિકલ હોય છે જે સખત હોય છે. PoPને પાણીમાં ઓગળવામાં બહુ સમય લઈ લે છે. જમાવટ તમને ખાસ અપીલ કરે છે કે મૂર્તિ ખરીદવા સમયે બની શકે તો ઈકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ જ ખરીદો. કારણ કે, વિસર્જન બાદ ગણેશ મૂર્તિ તળાવ કે સાર્વજનિક સ્થાનોમાં ઓગળતી નથી અને વિસર્જિત થયેલા સ્થાને પાણીમાં મૂર્તિ એમ જ પડી રહે છે. પાણી સૂકાયા બાદ મૂર્તિ દેખાય છે ત્યારે મૂર્તિની સ્થિતિ ખૂબ ખરાબ હોય છે. જે ધાર્મિક આસ્થા અને પર્યાવરણ માટે ખરાબ બાબત છે. જમાવટની આપને નમ્ર અપીલ છે કે ધામધુમથી ગણેશોત્સવ ઉજવો પરંતુ માટીના ગણેશ કે ઈકો-ફ્રેન્ડલી ગણેશની સ્થાપના કરીને પર્યાવરણની રક્ષા કરો.



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.