મહારાષ્ટ્રના પોલીસકર્મીઓને હવે 12 ના બદલે 20 દિવસની રજા મળશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-21 18:36:43

મહારાષ્ટ્રના પોલીસકર્મીઓ માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્યની એકનાથ શિંદેની સરકારે બુધવારે પોલીસકર્મીઓની રજામાં વધારો કર્યો છે. એકનાથ શિંદેની સરકારે મહારાષ્ટ્ર પોલીસને વર્ષ દરમિયાન કુલ 20 દિવસની આકસ્મિક રજા (Casual Leaves) આપવાની જાહેરાત કરી છે. 


કોન્સ્ટેબલથી લઈને PSI માટે આકસ્મિક રજાની જાહેરાત


મહારાષ્ટ્ર સરકારે પોલીસના કોન્સ્ટેબલથી લઈને પોલીસ ઈન્સ્પેક્ટર માટે આકસ્મિક રજા (Casual Leaves)ની સંખ્યા 12 દિવસથી વધારીને 20 દિવસ કરવાનો નિર્ણય લીધો છે. અત્રે ઉલ્લેખનિય છે કે મહારાષ્ટ્રમાં પોલીસકર્મીઓની સંખ્યા દેશમાં સૌથી વધુ છે. રાજ્યમાં હાલમાં 1,65,740 પોલીસકર્મીઓ છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આકસ્મિક રજા (Casual Leaves)ની સંખ્યા વધારવાની દરખાસ્ત શરૂઆતમાં DGP સંજય પાંડે દ્વારા કરવામાં આવી હતી, જે હાલમાં જેલના સળિયા પાછળ છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે