મહારાષ્ટ્રઃ પાલઘરમાં સાધુઓની હત્યાનો કેસ CBIને સોંપાયો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 13:33:34

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં 2020માં સાધુઓની માર મારીને હત્યા કરી દેવામાં આવી હતી. મહારાષ્ટ્રની એકનાથ શિંદેની સરકાર સીબીઆઈને સોંપવા માટે તૈયાર છે. મહારાષ્ટ્ર સરકારે એફિડેવિટ દાખલ કરી આવા સંકેત આપ્યા છે. એફિડેવિટમાં શિંદે સરકારે જણાવ્યું હતું કે મોબ લિંચિંગ કેસની સીબીઆઈ તપાસ કરાવવામાં તેમને કોઈ વાંધો નથી. 


શું હતો પાલઘર મોબ લિંચિંગનો મામલો?

વર્ષ 2020માં સાધુ સમાજના અમુક લોકો લોકડાઉનના સમયમાં મુંબઈથી સુરત જઈ રહ્યા હતા. આ દરમિયાન પોલીસની હાજરમાં ગડચિનચાઈલ ગામમાં એક ભીડે તેમના પર હુમલો કરી દીધો હતો જેના કારણે સાધુઓના નિધન થઈ ગયા હતા. ગામના લોકોને લાગ્યું હતું કે આ સાધુ નથી અને ચોર છે માટે તેમણે સાધુઓ પર હુમલો કરી દીધો હતો. 


શા માટે મહારાષ્ટ્ર સરકારે કરી CBI તપાસની માગ?

મહારાષ્ટ્ર સરકારની તપાસ પર શંકા રાખતા મૃતક સાધુઓના મંડળે અને જૂના અખાડાના સાધુઓએ એએનઆઈ અને સીબીઆઈ તપાસની માગણી કરી હતી. હિંદુત્વ તરફ જુકાવ રાખતી શિવસેના સરકાર સાધુઓની માગના કારણે તપાસ કરાવવા ઈચ્છી રહી છે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.