મહારાષ્ટ્ર: ડોમ્બિવલી નજીક ખોની પાલવામાં એક બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં


  • Published By :
  • Published Date : 2024-01-13 17:47:19

મહારાષ્ટ્રના થાણેમાં ડોમ્બિવલી નજીક ખોની પાલવામાં એક બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે. હજુ સુધી કોઈ જાનહાનિના રિપોર્ટ નથી. આગ એટલી ભયાનક હતી કે થોડી જ વારમાં તે બહુમાળી ઈમારતના અન્ય ભાગોમાં પણ પહોંચી ગઈ હતી. આગની જ્વાળાઓ દૂર દૂર સુધી દેખાતી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, લોઢા હાઉસિંગ કોમ્પ્લેક્સમાં એક બહુમાળી બિલ્ડીંગમાં અચાનક આગ ફાટી નીકળી હતી. 11મા માળેથી શરૂ થયેલી આગ ઝડપથી અનેક માળ સુધી ફેલાઈ ગઈ હતી. આગ પર કાબૂ મેળવવા માટે રહેવાસીઓએ પાણીના ટેન્કરોનો ઉપયોગ કર્યો હતો. આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર હાજર છે. ફાયર બ્રિગેડના અધિકારીઓ આગને કાબૂમાં લેવાના પ્રયાસમાં વ્યસ્ત છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે બહુમાળી ઈમારતમાં લાગેલી આગ થોડી જ વારમાં જ આખી ઈમારતમાં ફેલાઈ ગઈ હતી.


અગાઉ પણ બોરીવલીમાં લાગી હતી આગ

 

અત્રે ઉલ્લેખનિય છે કે મહારાષ્ટ્રમાં આ પહેલા પણ ઘણી ઈમારતોમાં આગ લાગી છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં બોરીવલીમાં આઠ માળની રહેણાંક ઇમારતમાં આગ લાગી હતી, જેમાં 8 વર્ષના છોકરા સહિત બે લોકોના મોત થયા હતા. આ દરમિયાન અન્ય ત્રણ લોકો પણ દાઝી ગયા હતા. અગાઉ આ જ મહિનામાં ગોરેગાંવ વિસ્તારમાં રહેણાંક મકાનમાં આગ લાગવાથી સાત લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં 40થી વધુ લોકો દાઝી ગયા હતા.



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.