મહારાષ્ટ્ર: ડોમ્બિવલી નજીક ખોની પાલવામાં એક બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં


  • Published By :
  • Published Date : 2024-01-13 17:47:19

મહારાષ્ટ્રના થાણેમાં ડોમ્બિવલી નજીક ખોની પાલવામાં એક બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે. હજુ સુધી કોઈ જાનહાનિના રિપોર્ટ નથી. આગ એટલી ભયાનક હતી કે થોડી જ વારમાં તે બહુમાળી ઈમારતના અન્ય ભાગોમાં પણ પહોંચી ગઈ હતી. આગની જ્વાળાઓ દૂર દૂર સુધી દેખાતી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, લોઢા હાઉસિંગ કોમ્પ્લેક્સમાં એક બહુમાળી બિલ્ડીંગમાં અચાનક આગ ફાટી નીકળી હતી. 11મા માળેથી શરૂ થયેલી આગ ઝડપથી અનેક માળ સુધી ફેલાઈ ગઈ હતી. આગ પર કાબૂ મેળવવા માટે રહેવાસીઓએ પાણીના ટેન્કરોનો ઉપયોગ કર્યો હતો. આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર હાજર છે. ફાયર બ્રિગેડના અધિકારીઓ આગને કાબૂમાં લેવાના પ્રયાસમાં વ્યસ્ત છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે બહુમાળી ઈમારતમાં લાગેલી આગ થોડી જ વારમાં જ આખી ઈમારતમાં ફેલાઈ ગઈ હતી.


અગાઉ પણ બોરીવલીમાં લાગી હતી આગ

 

અત્રે ઉલ્લેખનિય છે કે મહારાષ્ટ્રમાં આ પહેલા પણ ઘણી ઈમારતોમાં આગ લાગી છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં બોરીવલીમાં આઠ માળની રહેણાંક ઇમારતમાં આગ લાગી હતી, જેમાં 8 વર્ષના છોકરા સહિત બે લોકોના મોત થયા હતા. આ દરમિયાન અન્ય ત્રણ લોકો પણ દાઝી ગયા હતા. અગાઉ આ જ મહિનામાં ગોરેગાંવ વિસ્તારમાં રહેણાંક મકાનમાં આગ લાગવાથી સાત લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં 40થી વધુ લોકો દાઝી ગયા હતા.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.