મહારાષ્ટ્રઃ બલ્લારશાહ રેલવે સ્ટેશન પર ફુટ ઓવરબ્રીજ તૂટ્યો, 8 ગંભીર, 20 ઘાયલ


  • Published By :
  • Published Date : 2022-11-27 18:57:02

મહારાષ્ટ્રના બલ્લારશાહ રેલવે સ્ટેશન પર ફુટ ઓવરબ્રીજ તૂટતા અનેક લોકો ઘાયલ થયા છે. 60 ફૂટ ઉંચા ફૂટ બ્રીજ પરથી લોકો પસાર થઈ રહ્યા હતા ત્યારે બ્રિજ તૂટ્યો હતો. 60 ફૂટ ઉંચો બ્રિજ તૂટતા 20 લોકો ઘાયલ થઈ ગયા હતા. રેલવેના પાટા પર પટકાતા પાંચથી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા છે. હાલ તમામ લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવી રહ્યા છે. રેલવે તંત્રના લોકો પણ બ્રિજનો તૂટેલો કાટમાળ રેલવેના પાટા પરથી હટાવી રહ્યો છે. 





21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.