મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષે શરદ પવારને આપ્યો ઝટકો, કહ્યું અજિત પવાર જૂથ જ અસલી NCP


  • Published By :
  • Published Date : 2024-02-15 21:15:17

નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી પર વર્ચસ્વની લડાઈમાં શરદ પવાર સામે ભત્રીજા અજીત પવારની જીત થઈ છે. NCP પર પોતાના એકાધિકાર માટે લડતા શરદ પવારને ચૂંટણી પંચ બાદ આજે મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પિકરે પણ ઝટકો આપ્યો છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના મામલે મહારાષ્ટ્રના સ્પીકર રાહુલ નાર્વેકરે ચુકાદો આપ્યો છે. તેમણે ધારાસભ્યોને લાયક જાહેર કરીને તેમની સામેની તમામ અરજીઓને રદ કરી દીધી છે. તેમણે અજીત જૂથને અસલી NCP પણ ગણાવ્યું હતું. અજિત પવારને 41 ધારાસભ્યોનું સમર્થન છે.


શું કહ્યું સ્પીકર રાહુલ નાર્વેકરે?


શરદ પવારના ભત્રીજા અજિત પવાર તેમના સમર્થક ધારાસભ્યોની સાથે જુલાઈ 2023 માં મહારાષ્ટ્રની શિવસેના-ભાજપ સરકારમાં જોડાયા હતા. બાદમાં અજિત પવારે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. જો કે ત્યાર પછી તેમના જુથને ગેરલાયક ઠરાવવા માટે અરજીઓ દાખલ કરવામાં આવી હતી. નાર્વેકરે ચુકાદામાં કહ્યું હતું કે પાર્ટીના સ્થાપક શરદ પવારના નિર્ણયો પર સવાલ ઉઠાવવો અથવા તેમની ઇચ્છાઓની અવગણના કરવી એ પક્ષપલટા સમાન નથી પરંતુ તે માત્ર આંતરિક મતભેદ છે. તેમણે કહ્યું કે આ કેસમાં પક્ષપલટા વિરોધી જોગવાઈઓ સાથે સંબંધિત બંધારણની 10મી અનુસૂચિનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. 


પક્ષની નેતાગીરી 10મી અનુસૂચિનો ઉપયોગ મોટી સંખ્યામાં સભ્યોના અસંમત અવાજોને અયોગ્યતાની ધમકી આપીને દબાવવા માટે કરી શકે નહીં. ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે એનસીપીમાં (જુલાઈ 2023માં) જે ઘટના બની તે સ્પષ્ટ રીતે પાર્ટીનો આંતરિક મતભેદ હતો. વિધાનસભા અધ્યક્ષે કહ્યું કે પાર્ટીમાં વિભાજન સમયે મોટાભાગના ધારાસભ્યો અજિત પવાર કેમ્પમાં હતા. તેમણે કહ્યું કે અજિત પવાર કેમ્પનો નિર્ણય NCPની ઈચ્છા દર્શાવે છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે