મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષે શરદ પવારને આપ્યો ઝટકો, કહ્યું અજિત પવાર જૂથ જ અસલી NCP


  • Published By :
  • Published Date : 2024-02-15 21:15:17

નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી પર વર્ચસ્વની લડાઈમાં શરદ પવાર સામે ભત્રીજા અજીત પવારની જીત થઈ છે. NCP પર પોતાના એકાધિકાર માટે લડતા શરદ પવારને ચૂંટણી પંચ બાદ આજે મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પિકરે પણ ઝટકો આપ્યો છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના મામલે મહારાષ્ટ્રના સ્પીકર રાહુલ નાર્વેકરે ચુકાદો આપ્યો છે. તેમણે ધારાસભ્યોને લાયક જાહેર કરીને તેમની સામેની તમામ અરજીઓને રદ કરી દીધી છે. તેમણે અજીત જૂથને અસલી NCP પણ ગણાવ્યું હતું. અજિત પવારને 41 ધારાસભ્યોનું સમર્થન છે.


શું કહ્યું સ્પીકર રાહુલ નાર્વેકરે?


શરદ પવારના ભત્રીજા અજિત પવાર તેમના સમર્થક ધારાસભ્યોની સાથે જુલાઈ 2023 માં મહારાષ્ટ્રની શિવસેના-ભાજપ સરકારમાં જોડાયા હતા. બાદમાં અજિત પવારે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. જો કે ત્યાર પછી તેમના જુથને ગેરલાયક ઠરાવવા માટે અરજીઓ દાખલ કરવામાં આવી હતી. નાર્વેકરે ચુકાદામાં કહ્યું હતું કે પાર્ટીના સ્થાપક શરદ પવારના નિર્ણયો પર સવાલ ઉઠાવવો અથવા તેમની ઇચ્છાઓની અવગણના કરવી એ પક્ષપલટા સમાન નથી પરંતુ તે માત્ર આંતરિક મતભેદ છે. તેમણે કહ્યું કે આ કેસમાં પક્ષપલટા વિરોધી જોગવાઈઓ સાથે સંબંધિત બંધારણની 10મી અનુસૂચિનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. 


પક્ષની નેતાગીરી 10મી અનુસૂચિનો ઉપયોગ મોટી સંખ્યામાં સભ્યોના અસંમત અવાજોને અયોગ્યતાની ધમકી આપીને દબાવવા માટે કરી શકે નહીં. ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે એનસીપીમાં (જુલાઈ 2023માં) જે ઘટના બની તે સ્પષ્ટ રીતે પાર્ટીનો આંતરિક મતભેદ હતો. વિધાનસભા અધ્યક્ષે કહ્યું કે પાર્ટીમાં વિભાજન સમયે મોટાભાગના ધારાસભ્યો અજિત પવાર કેમ્પમાં હતા. તેમણે કહ્યું કે અજિત પવાર કેમ્પનો નિર્ણય NCPની ઈચ્છા દર્શાવે છે.



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.