ભાદરવી પૂનમના મહામેળાનો થયો પ્રારંભ, માર્ગો બોલ મારી અંબેના નાદથી ગુંજી ઉઠ્યા, દર્શન કરી ભાવુક થયા ભક્તો, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-23 12:38:00

માતાજીને શક્તિનું રૂપ માનવામાં આવે છે. પૂનમ દરમિયાન માતાજીના મંદિરોમાં ભાવિકોની ભીડ જોવા મળતી હોય છે. ભાદરવી પૂનમ તેમજ પોષી પૂનમનો અનેરો મહિમા રહેલો છે. ત્યારે ભાદરવી પૂનમના મેળાની શરૂઆત આજથી થઈ ગઈ છે. આજથી પ્રારંભ થયેલો મેળો 29 સપ્ટેમ્બર સુધી ચાલવાનો છે. શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનું વિશેષ સ્થાન રહેલું છે. ભક્તોનું ઘોડાપૂર ઉમટતું હોય છે. દૂર-દૂરથી પગપાળા કરી માતાજીના મંદિરે માઈ ભક્તો પહોંચતા હોય છે. ત્યારે મંદિર તો બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું છે પરંતુ અંબાજી તરફ જતા રસ્તાઓ પણ જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા છે.

 


બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે મેળાનો કરાવ્યો પ્રારંભ 

ભક્તિમય વાતાવરણ ચારેય તરફ જોવા મળી રહ્યું છે. બનાસકાંઠા કલેક્ટર દ્વારા વિધિવતરૂપે રથ ખેંચી અંબાજી મહામેળાનો પ્રારંભ કરાવાયો છે. આજથી શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થઈ ગયો છે. ભક્તોની ભારે ભીડ મંદિરના પ્રાંગણમાં, અંબાજી તરફ આવતા રસ્તાઓ પર જોવા મળી રહી છે. મેળાને લઈ તેમજ ભક્તોને આવકારવા માટે બનાસકાંઠા તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. ભક્તોના ઉતારાથી લઇ, માતાના દર્શન, પ્રસાદ સુધીની તૈયારીઓ કરી છે, પહેલા દર્શન કરીયે પવિત્ર યાત્રા ધામને આ પ્રસંગ નિમિત્તે વિશેષ રૂપે શણગારવામાં આવ્યું છે. 


આ સ્થળે પડ્યું હતું માતા સતીનું હૃદય  

51 શક્તિ પીઠમાંનું સૌથી શક્તિશાળી સ્થળ માનવામાં આવતા અંબાજીમાં એમ તો દર પૂનમે ભક્તો માતાના દર્શને આવી જ પહોંચે છે પણ ભાદરવી પૂનમ વિશેષ છે, દર વર્ષે મેળો ભરાય છે, પુરાણોમાં ઉલ્લેખ મુજબ સતી માતાનું હૃદય આ સ્થળે પડ્યું હતું અને આજ સ્થળ છે જ્યાં આજે પણ આંખે પાટા બાંધી આરતી ઉતારવામાં આવે છે, આજ સ્થળ છે જ્યાં નંદ-જશોદા કૃષ્ણની બાબરી વિધિ કરવા આવ્યા હતા, માતા સીતાની શોધમાં રામજીએ અહીં આરાધના કરી હતી, પોતાની મનોકામના લઇ ભક્તો આવી પહોંચે છે. 


વિવિધ પ્રકારની તંત્ર દ્વારા કરવામાં આવી છે તૈયારી  

ગબ્બર પર બિરાજમાન માતાના દર્શને જયારે લાખ્ખો ભક્તો આવવાના છે ત્યારે પીવાના પાણી, વિનામૂલ્ય ભોજનાલય, વિશ્રામ સ્થળ, આરોગ્ય સેવા, પોલીસ કન્ટ્રોલ રૂમ, બસ સ્ટેન્ડ, પાર્કિંગ સ્લોટ, જેવી વ્યવસ્થા કરવામાં આવી છે, અને સાથે ટેક્નોલોજીનો ઉપયોગ કરી વોટ્સએપ દ્વારા વિવિધ સેવાની જાણકારી પણ મેળવી શકો છો. તેમજ ત્યાં પહોંચવા વધુ ST બસો પણ ચલાવવામાં આવી રહી છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.